Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

વડાપ્રધાનની સુરક્ષામાં કોંગ્રેસની ઘોર બેદરકારીને વખોડતા ભાજપ બૌધિક-સાંસ્કૃતિક સેલના આગેવાનો

રાજકોટ,તા. ૭ : શહેર ભાજપ બૌઘ્ધિક સેલના સંયોજકો નિલેશ ભલાણી, પરિમલ પરવડા, તેમજ શહેર ભાજપ સાંસ્કૃતીક સેલના સંયોજક તેજશ સીંશાગીયા અને વિજયભાઈ કારીયાએ તાજેતરમાં પંજાબના પ્રવાસ દરમિયાન વડાપ્રધાનશ્રીની સુરક્ષામાં કોંગ્રેસ સરકારે દાખવેલ બેદરકારીને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી છે.

પંજાબ ખાતે નરેન્દ્રભાઈ મોદીનો કાર્યક્રમ અંતર્ગત પંજાબ સરકારના અધિકારીઓ અને મુખ્યમંત્રીને વડાપ્રધાનના બદલાયેલા રૂટની સંપુર્ણ માહિતી હતી ત્યારે આ માહિતી આંદોલનકારીઓ સુધી કેવી રીતે પહોંચી અને વડાપ્રધાનના કાફલાને ઘેરી લેવામાં આવ્યો તે મહત્વપૂર્ણ ઘટનાઓ કોંગ્રેસને શંકાના દાયરામાં લાવી તેના બદઈરાદા છતા કરે છે.માનવગરિમાને લાંછન લગાડનાર આ કૃત્ય બદલ દેશની જનતા કોંગ્રેસને કયારેય માફ નહીં કરે. તેમ અંતમાં નિલેશ ભલાણી, પરિમલ પરડવા, તેજશ શીશાંગીયા, અને વિજયભાઇ કારીયાએ જણાવ્યુ છે.

(5:02 pm IST)