Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

પંજાબમાં વડાપ્રધાનની સુરક્ષામાં બેદરકારી બાબતે કોંગ્રેસ વિરૂધ્ધ ભા.જ.પ.ના ધરણા

આજે સાંજે જયુબેલી બાગ ખાતે ભા.જ.પના આગેવાનોના મૌન ધરણા યોજાશે

રાજકોટ તા. ૭ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની એક સંયુકત યાદીમાં જણાવાયું છે. કે પંજાબમાં કોંગ્રેસની સરકારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પંજાબના ફિરોઝપુર જીલ્લામાં પ્રવાસ દરમ્યાન કોંગ્રેસ રાષ્ટ્રીય નેતૃત્વના ઇશારે વડાપ્રધાનની સુરક્ષામાં લાપરવાહી કરી પંજાબની કોંગ્રેસ સરકારની દુષીત માનસીકતા છતી કરી છે.

તેના વિરોધમાં શહેર ભાજપ દ્વારા આજે તા.૭ ના સાંજે પ કલાકે શહેરના જયુબેલી ગાર્ડન પાસે આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે 'કોંગ્રેસ સદ્દબુધ્ધી મૌન ધરણા' કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. તો તમામ શ્રેણીના કાર્યકર્તાઓને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર તરફથી જાહેર અનુરોધ કરાયો છે.

(5:06 pm IST)