Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

યમનોત્રી પાસે બસ દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને પૂ. મોરારીબાપુ દ્વારા સહાય

રાજકોટ તા. ૭ : મધ્‍યપ્રદેશના પન્ના જિલ્લા ખાતેથી યાત્રિકો બસ દ્વારા શ્રદ્ધાળુઓ યમનોત્રીજીના દર્શન માટે જઈ રહ્યા હતાં. આ બસમાં ૪૦ યાત્રીઓ યાત્રા કરી રહ્યા હતા અને એ બસ યમુનોત્રી નજીક ખીણમાં દુર્ઘટનાગ્રસ્‍ત થતાં ૨૫ યાત્રાળુઓએ પોતાના પ્રાણ આ દુર્ઘટનામાં ગુમાવ્‍યા છે. પૂજય મોરારીબાપુએᅠઆ યાત્રિકોના મૃત્‍યુ માટે સંવેદના વ્‍યક્‍ત કરી પ્રત્‍યેક મૃતકને ૫૦૦૦ રૂપિયાની સહાય મોકલવા જણાવેલ છે. મધ્‍યપ્રદેશ અને યમનોત્રીથી મરણ પામનાર લોકોની વિગતો આવ્‍યા બાદ કુલ રૂપિયા એક લાખ ૨૫ હજારની સહાય મૃતકોના પરિવારજનોને પહોંચાડવામાં આપવામાં આવશે.

પૂજય બાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરેલ છે અને તેમના પરિવારજનો પ્રત્‍યે સંવેદના વ્‍યક્‍ત કરી છે. તેમ જયદેવભાઇ માંકડની યાદીમાં જણાવાયું છે.

(10:30 am IST)