Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

જાગનાથમાં ચોથા માળની અગાસીએથી પટકાતાં નેપાળી યુવાન અભીનું મોત

શ્રી એપાર્ટમેન્‍ટમાં ચોકીદારી કરતું નેપાળી દંપતિ યુવાન દિકરાના મોતથી શોકમાં ગરક : ગરમીથી બચવા ધાબે સુવા ગયો'તોઃ રાતે અકસ્‍માતે પટકાયો

રાજકોટ તા. ૭: જાગનાથ પ્‍લોટમાં એપાર્ટમેન્‍ટના ચોથા માળની અગાસીએથી પડી જતાં નેપાળી યુવાનને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.
જુના જાગનાથપ્‍લોટ શેરી નં. ૭/૧ના ખુણે શ્રી એપાર્ટમેન્‍ટમાં રહેતાં અને ચોકીદારી કરતાં લોકબહાદુર વિશ્વકર્માનો પુત્ર અભી વિશ્વકર્મા (ઉ.૨૦) રાતે સાડા ત્રણેક વાગ્‍યે એપાર્ટમેન્‍ટના ચોથા માળે અગાસી પરથી પડી જતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પ્ર.નગર પોલીસ સ્‍ટેશનમાં જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર અભી બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો અને સોના ચાંદીની દૂકાનમાં કામ કરતો હતો.
પરિવારજનોના કહેવા મુજબ અભી રાતે ગરમીથી બચવા માટે અગાસીએ સુવા ગયો હતો. વહેલી સવારે લઘુશંકા માટે જાગતાં અકસ્‍માતે બેલેન્‍સ ગુમાવતાં પડી ગયો હતો. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

 

(11:55 am IST)