Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

મિત્રો સાથે બેઠેલા મનિષ ધોરીયાને હાથ પર સાપે દંશ મારી દેતાં મોત

રણુજા મંદિર પાસે ભુવનેશ્વરી સોસાયટીમાં બનાવઃ જુવાનજોધ દિકરાના મોતથી કડીયા પરિવારમાં કલ્‍પાંત

રાજકોટ તા. ૭: કોઠારીયા રોડ રણુજા મંદિર નજીક રામરણુજા સોસાયટી પાછળ આવેલી ભુવનેશ્વરી સોસાયટી-૨માં રહેતાં મનિષ દિપકભાઇ ધોરીયા (કડીયા) (ઉ.૩૦)ને રાતે સાડા નવેક વાગ્‍યે હાથ પર સાપે દંશ મારી દેતાં મોત નિપજતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.
મનિષ ધોરીયા રાતે ઘર નજીક ગોકુલ પાર્ક-૧માં માતુશ્રી શાળા નજીક મિત્રો સાથે બેઠો હતો ત્‍યારે અચાનક સાપ આવ્‍યો હતો અને હાથ પર દંશ મારી દીધો હતો. મનિષને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ જીવ બચી શક્‍યો નહોતો. તે ત્રણ ભાઇમાં વચેટ અને અપરિણીત હતો.  છુટક મજૂરી કરી પરિવારને મદદરૂપ થતો હતો. હોસ્‍પિટલ ચોકીના અલ્‍પેશભાઇએ આજીડેમ પોલીસને જાણ કરતાં હેડકોન્‍સ. મહેન્‍દ્રભાઇ પરમારે કાર્યવાહી કરી હતી.

 

(11:56 am IST)