Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

પીઠડઆઇ સોસાયટીમાં પેટના દુઃખાવાથી ત્રાસી મોહનભાઇએ ઝેર પીધું

રાજકોટ તા. ૭: આજીડેમ ચોકડીથી આગળ માંડા ડુંગર પાસે પીઠડઆઇ સોસાયટીમાં રહેતાં મોહનભાઇ દેવશીભાઇ બાવળીયા (ઉ.૭૦)એ ઉંદર મારવાની દવા પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના અલ્‍પેશભાઇએ આજીડેમ પોલીસને જાણ કરી હતી. મોહનભાઇને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. પોતે નિવૃત જીવન જીવે છે. પેટનો દુઃખાવો રહેતો હોઇ અને લિવરની બિમારી હોઇ કંટાળીને આ પગલુ ભર્યાનું જણાવાયું હતું.

 

(11:57 am IST)