Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

થોરાળાના ક્રિષ્ના પાર્કમાં વિધવા દિપાલીબેનને સાસુ-સસરાએ પ્લાસ્ટીકના પાઇપથી માર માર્યો

થાનથી આવેલી બહેન ભગવતીબેનની પણ ધોલધપાટઃ મકાન ખાલી કરવાનું કહી ડખ્ખો

રાજકોટ તા. ૭: થોરાળાના ક્રિષ્ના પાર્ક-૩માં રહેતી દિપાલીબેન વિનોદભાઇ ગોહેલ (ઉ.૩૨) નામની વિધવા પર ગંજીવાડામાં રહેતાં તેના સસરા પ્રાગજીભાઇ અને સાસુ કેશુબેને પ્લાસ્ટીકના પાઇપથી હુમલો કરી માર મારતાં તેણીની બહેન થાનથી આવેલી ભગવતીબેન કાંતિલાલ ચાવડા (ઉ.૩૮) વચ્ચે પડતાં તેને પણ માર મારવામાં આવતાં બંને બહેનો સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.

ભગવતીબેને જણાવ્યું હતું કે મારા બહેન દિપાલીબેનના પતિ વિનોદભાઇનું કોરોનાને કારણે અવસાન થયું છે. તેણીને  ચાર દિકરીઓ છે. હાલમાં તે જે મકાનમાં રહે છે તે તેના પતિનું છે. આ મકાન ખાલી કરવાનું કહી તેણીના સાસુ અને સસરા હેરાન કરે છે. ગત સાંજે પણ આ બંને ગંજીવાડામાંથી આવ્યા હતાં અને ઝઘડો કરી હુમલો કર્યો હતો. ભગવતીબેનના આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(2:51 pm IST)