Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

ભાજપ મહિલા મોરચા દ્વારા આંગણવાડી સખી મંડળ-આશાવર્કર બહેનોનું સન્માન

રાજકોટ : પ્રદેશ ભાજપ મહિલા મોરચાની યોજનાનુસાર સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ અભિયાન અંતર્ગત મહિલા મોરચા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહયા છે તે અંતર્ગત શહેર ભાજપ મહિલા મોરચાના મહામંત્રી કિરણબેન હરસોડા અને લીનાબેન રાવલની આગેવાનીમાં અને પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી જયોતિબેન વાછાણી, ડે. મેયર ડો.દર્શીતાબેન શાહ, જિલ્લા ભાજપના પ્રભારી રક્ષાબેન બોળીયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમાં પ્રમુખસ્વામી ઓડીટોરીયમ ખાતે શહેરની આંગણવાડીના સખીમંડળ– આશાવર્કર બહેનોનું સંમેલન યોજાયુ હતું. જેમાં સખીમંડળ– આશાવર્કર બહેનોનું સન્માન કરાયેલ હતુ.  આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન બીનાબેન આચાર્યએ તેમજ પ્રાશંગિક ઉદબોધન જયોતીબેન વાછાણીએ કર્યુ હતું તેમજ સંચાલન કિરણબેન હરસોડા અને અંતમાં આભારવિધિ પલ્લવીબેન પોપટએ કરી હતી. આ તકે જયોત્સનાબેન ટીલાળા, રાજેશ્વરીબેન ડોડીયા, તેમજ મહિલા મોરચાના સંગઠનના સૌ બહેનો, શિક્ષણ સમિતિના બહેનો, વોર્ડના મહિલા મોરચાના પ્રભારીઓ, વોર્ડના મહીલા મોરચાના પ્રમુખ– મહામંત્રી બહેનો, આંગણવાડી અને આશાવર્કર બહેનો, આઈટી સેલના બહેનો બહોળી  સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

(3:40 pm IST)