Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

મોહનભાઇ કુંડારીયાનો ગીર સોમનાથ ખાતે રાજનૈતિક પ્રવાસ

પ્રદેશ ભાજપની યોજનાનુસાર આગામી વિધાનસભા ચૂંટણી અતંર્ગત પ્રદેશ દ્વારા નિશ્ચિત કરેલા અગ્રણીઓ જેમકે રાજયના મંત્રીશ્રીઓ,ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ તેમજ અન્ય અગ્રણીઓ વગેરે રાજયની તમામ ૧૮ર વિધાનસભા મતવિસ્તારોમાં ત્રણ દિવસીય રાજનૈતિક પ્રવાસ નું આયોજક કરાયેલ. જેમાં  રાજકિય ગતિવિધિઓની માહિતી અને સંગઠનાત્મક દ્રષ્ટિકોણથી આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારી અંતર્ગત પરામર્શ કરાયો હતો. તે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા  ખાતે  સાંસદ મોહનભાઈ કુંડારીયા દ્વારા  રાજનૈતિક પ્રવાસ યોજાયો હતો. આ રાજનૈતિક પ્રવાસ દરમ્યાન મોહનભાઈ કુ્રંડારીયા દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણી અતંગર્ત યોજાનાર વિવિધ કાર્યક્રમો તેમજ સંગઠનાત્મક બાબતો અંતર્ગત ચર્ચા–પરામર્શ કરવામાં આવ્યો હતો. આ તકે ગીર સોમનાથ જીલ્લાના પ્રમુખ માનસીંગભાઈ પરમાર, જશાભાઈ બારડ, રાજસીભાઈ જોટવા સહીતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

(3:41 pm IST)