Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

પૂ. શ્રી પરમ સૌમ્યાજી મહાસતીજી આ.ઠા.૭ નું પેટરબારમાં પદાર્પણ

કોલકતા ચાતુર્માસ માટે પધારી રહેલા રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી

રાજકોટ, તા. ૭ : પૂર્વ ભારતના કોલકાત્તા મહાનગરમાં બે એતિહાસીક ચાતુર્માસ કરીને હજારો ભાવિકોને ધર્મભાવથી ભાવિત  કરનારા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા.ના આજ્ઞાનુવર્તી પૂ. શ્રી પરમ સૌમ્યાજી  મહાસતીજી આદિ ઠાણા ૭ આગામી ચાતુર્માસ અર્થે કોલકાત્તા તરફ વિહાર કરતાં ઝારખંડ ક્ષેત્રના    પેટરબારમાં પધારતા તેમનું ભકિતભાવ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.    સમગ્ર પૂર્વ ભારત પર જેમનો અસીમ ઉપકાર છે એવા ગોંડલ ગચ્છ શિરોમણી પૂ. શ્રી જયંતમુનિ મહારાજ  સાહેબે વર્ષો સુધી જે ભૂમિને કર્મભૂમિ અને સાધનાભૂમિ બનાવીને સંયમ જીવન વ્યતિત કર્યું હતું એવી આ  પેટરબારની ભૂમિ પર પૂજ્ય શ્રી પરમ સૌમ્યાજી મહાસતીજી, પૂજ્ય શ્રી પરમ સમાધિજી મહાસતીજી, પૂજ્ય શ્રી  પરમ ત્રજુતાજી મહાસતીજી, પૂજ્ય શ્રી પરમ સમ્યકતાજી મહાસતીજી, પૂજ્ય શ્રી પરમ પ્રભુતાજી મહાસતીજી,  પૂજ્ય શ્રી પરમ વિભૂતિજી મહાસતીજી તેમજ પૂજ્ય શ્રી પરમ સહજતાજી મહાસતીજીએ મુંબઈ ક્ષેત્રથી વિહાર  કરતાં આકોલા, અમરાવતી, નાગપુર આદિ અનેક ક્ષેત્રોની સ્પર્શના સાથે શાસન પ્રભાવના કરીને પદાર્પણ  કરતાં પૂર્વ ભારતના કોલકાત્તા, ઝરીયા, ધનબાદ, ચાસ, બોકારો આદિ અનેક ક્ષેત્રોના ભાવિકો, શ્રી અહિંસા  સંઘના ભાવિકો સાથે પેટરબારના ભાવિકો તેમજ અનેક જૈનેત્તર ભાવિકોએ લહેરાતા ધર્મધ્વજ, ગુંજતા બેન્ડ,  મંગલ કળશથી શોભતી શોભાયાત્રા દ્વારા જયનાદ ગુંજવીને પૂજ્ય મહાસતીજી પ્રત્યે ભકિતભાવ પ્રદર્શિત કર્યો  હતો.    વિશેષમાં, પેટરબારમાં બિરાજીત પૂજ્ય  દર્શનાબાઈ મહાસતીજી તેમજ પૂ.  સ્વાતિબાઇ મહાસતીજીએ  વિશેષ ભાવો સાથે પૂજ્ય શ્રી પરમ સૌમ્યાજી મહાસતીજી આદિ ઠાણા ૭ને શૌલ ઓઢાળી તેઓનું સ્વાગત કર્યું    હતું. આ અવસરે, કોલકાત્તાના  નવલખા ઉપાશ્રય - બડા બજાર સંઘના ચંદ્રેશભાઈ મેઘાણી,  ટોલીગંજ સંઘના  નિકુંજભાઈ શેઠ, કામાણી સંઘના  ઉમેશભાઈ દામાણી, પારસધામ સંઘના

પ્રદીપભાઈ બેલાવાલા,  હર્ષદભાઈ અજમેરા તેમજ  ઝરીયા સંઘના  દીપકભાઈ ઉદાણી, ધનબાદ સંઘના  પ્રવીણભાઈ શાહ, શ્રી ચાસ - બોકારો સંઘના કાજલબેન બાટવીયા અને બેરમોથી રાજૂભાઈ મહેતા એ પરમ મહાસતીજીને શેષકાળ અર્થે પધારવા વિનંતી કરેલ.પૂજ્ય શ્રી ગોંડલ ગચ્છ શિરોમણી દ્વારા નિર્મિત પેટરબાર એવમ આજુબાજુના વિસ્તારના જૈનત્તર ભાવિકોનો સમૂહ- શ્રી અહિસા સંઘના ભાવિકોએ મહામંત્ર - શ્રી નમસ્કાર મંત્રનું ગુંજન એવમ ભજનનું ગાન કરેલ અને અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા તેમને અન્નદાનની કીટ એવમ સાડી અર્પણ કરવામાં આવેલ પૂજય શ્રી પરમ સૌમ્યાજી મહાસતીજી આદિ ઠાણા ૭ નુ ચાતુર્માસ અર્થે કોલકાતા મહાનગર પ્રવેશ ર૭ મીએ સંભવિત છે.

(3:43 pm IST)