Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

ચોટીલા પાસે એસટી બસ ટ્રક સાથે અથડાતા ૭ મુસાફરોના મો, માથા ને નાક રંગાયા

તમામ ઘાયલોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા

રાજકોટ તા. ૭: ચોટીલા નજીક આપા ગીગાના ઓટલાનીજગ્‍યા નજીક રાજકોટથી અમદાવાદ જઇ રહેલી એસટી બસ ટ્રક સાથે અથડાતાં મુસાફરોમાં દેકારો બોલી ગયો હતો. સાત મુસાફરોને ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.

ઇજાગ્રસ્‍તોમાં રિતેશ અરવિંદભાઇ કરથીયા (ઉ.૪૪-રહે. અમદાવાદ, મુળ રાજકોટ), પરેશ કરસનભાઇ રાઠોડ (ઉ.૩૫), પૂનમ જીતેશ રાઠોડ (ઉ.૩૬), ચેતના પરેશ રાઠોડ (ઉ.૩૮), મદનસિંગ ધીરૂસિંગ રાઠોડ (ઉ.૫૯) (રહે. બધા રાજકોટ) તથા વિનોદભાઇ અમરાજી પરમાર (ઉ.૬૪), શારદાબેન વિનોદભાઇ પરમાર (ઉ.૬૨) (રહે. બંને અમદાવાદ)ને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ચોટીલા પોલીસને જાણ કરી હતી. એસટી બસ નં. જીજે૧૮ઝેડ-૫૯૧૭ રાજકોટથી અમદાવાદ તરફ જઇ રહી હતી ત્‍યારે અકસ્‍માત સર્જાયો હતો. 

(3:54 pm IST)