Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

સદ્‌્‌ગુરૂદેવ પૂ. પારસમુનિ મ.સા.ની રાજકોટમાં પધરામણી : કાલે વિહાર

ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ. જગદીશ મુનિ મ.સા.ના સુશિષ્‍ય

રાજકોટ તા. ૭ :.. ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ. જગદીશમુનિ મ.સા.ના સુશિષ્‍ય સદ્‌્‌ગુરૂદેવ પૂ. પારસમુનિ મ.સા.ની આજે સાંજે ૭ વાગ્‍યે રાજકોટમાં પધરામણી થઇ છે. પૂ. શ્રી કાલાવડ (શીતલા) થી વિહાર કરી શહેરમાં પધરામણી કરી છે.

પૂ. શ્રી રાજકોટ ખાતે શૈલેષભાઇ માઉના નિવાસસ્‍થાન, ૩૦૩-હાર્મની હોમ્‍સ, ૮ શારદાનગર સોસાયટી, સિંહાર સ્‍કુલવાળી શેરી, યુનિવર્સિટી રોડ ખાતે એક દિવસ સ્‍થિરતા કરી કાલે કાલાવડ (શીતલા) તરફ વિહાર કરશે. પૂ. ગુરૂદેવના દર્શન-વંદન અંગે મો. ૯૩ર૩૭૭૭૭૦૯ ઉપર માહિતી મળી શકશે.

(4:25 pm IST)