Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

અલ્‍પકાલીન વિસ્‍તારક યોજના અંતર્ગત શહેર ભાજપ દ્વારા બુધ- ગુરૂ કાર્યશાળા

કાર્યકારોને ધનસુખ ભંડેરી માર્ગદર્શન પુરૂ પાડશે

રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરની એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયું છે કે પ્રદેશ ભાજપની યોજનાનુસાર અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર.પાટીલના માર્ગદર્શન હેઠળ આગામી તા.૧૧ થી ૧૩ જૂન દરમ્‍યાન રાજયભરમાં અલ્‍પકાલીન વિસ્‍તારક યોજનાનો પ્રારંભ થઈ રહ્યો હોય અલ્‍પકાલીન વિસ્‍તારક યોજના અંતર્ગત શકિતકેન્‍દ્ર દીઠ પાર્ટીના વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ ૩ દિવસ માટે વિસ્‍તારક તરીકે જશે. તે અંતર્ગત તા.૮ અને ૯ (બુધ- ગુરૂ) દરમિયાન વિધાનસભા દીઠ કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ.

રાણીંગા વાડી ખાતે આવતીકાલે તા.૮ના બુધારે સવારે ૯:૩૦ થી ૧ વિધાનસભા- ૬૯ના સમાવિષ્‍ટ વોર્ડ માટે અને વિધાનસભા-૭૦ના સમાવિષ્‍ટ વોર્ડ માટેની કાર્યશાળા બપોરે ૨ થી ૬ તેમજ તા.૯ના ગુરૂવારે સવારે ૯:૩૦ થી ૧ વિધાનસભા-૬૮ અને બપોરે ૨ થી ૬ વિધાનસભા-૭૧ની કાર્યશાળા યોજાશે. આ કાર્યશાળા દરમ્‍યાન અલ્‍પકાલીન વિસ્‍તારકો તરીકે જનાર કાર્યકર્તાઓને ધનસુખ ભંડેરી વિસ્‍તૃત માર્ગદર્શન પુરૂ પાડશે. 

(4:35 pm IST)