Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

કાલે ઓશોના પિતાજીનો નિર્વાણ દિન

ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે શિબિરઃ આર.જે. આહયા દ્વારા સંચાલન

રાજકોટઃ  આવતીકાલે તા.૮ સપ્ટેમ્બરના રોજ ઓશોના પિતાજીનો નિર્વાણ  દિવસ છે.ઓશોએ આ દિવસને  ''ઓશો મહાપરી નિર્વાણ'' દિવસ તરીકે ઉજવવા જણાવેલ છે. આ દિવસે આખા વર્ષમા જે કોઈ ઓશો સન્યાસ કે પ્રેમી નિર્વાણ  થયા હોય તેને યાદ કરીને આ દિવસે ઓશોના પિતાજી  'સ્વામી  દેવ તીર્થ  ભારતીજી'ને યાદ કરી....વંદન કરી...સાથે જે કોઈ સન્યાસ કે પ્રેમી  નિર્વાણ  થયા હોય તેને યાદ કરીને શ્રધ્ધાંજંલી આપવાની હોય છે....માટે જે કોઈ સાધક શિબિરમા આવે તેઓના ખયાલમા કોઈ ઓશો સન્યાસી કે પ્રેમીના નિર્વાણ  અંગેની માહિતી કે વિગત લેતા આવે.જેથી તેઓને યાદ કરી શ્રધ્ધાંજલી આપી શકાય...

 તા.૮.ને બુધવારે એક દિવસીય શિબિરનુ  સ્વામી સત્યપ્રકાશજી દ્વારા  'ઓશો સત્ય  પ્રકાશ  ધ્યાન  મંદીર' (૪ વેદવાડી... વિવેકાનંદ બ્રીજ  પાસે ગોંડલ રોડ) ખાતે આયોજીત શિબિરનુ સંચાલન સ્વામી  જીન સ્વરૂપ  સરસવતી (આર. જે. આહયા) કરશે. આ શિબિર નિઃશુલ્ક  રાખેલ છે.

 આ શિબિરમા ભાગ લેવા માટે શિબિર આર્થી એ સંપુર્ણ  કોરોના ગાઈડ લાઈનની પાલન કરવાનુ રહેશે તેમજ જેને કોરોના વેકસીન લીધી હશે તેને જ પ્રવેશ  મળશે. મો.નં ૯૪૨૭૨ ૫૪૨૭૬ ઉપર રજીસ્ટર કરાવવુ જરૂરી છે. વધુ વિગત માટે  મો.નંબર. ૯૪૨૮૨ ૦૨૨૫૫  ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. 

(3:05 pm IST)