Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

વિમલનાથ ઉપાશ્રયે પૂ. ધીરગુરૂદેવનું ગુરૂવારે જાહેર પ્રવચનઃ ઉગ્ર તપશ્ચર્યા

શ્રી વિમલનાથ જૈન સંઘ ખાતે શ્રીમતી વસંતબેન પ્રવિણચંદ્ર પારેખ ઉપાશ્રયના ઉપક્રમે અમૃત ઘાયલ હોલ, વોર્ડ નં. ૯ ખાતે તા. ૯ ને ગુરૂવારે સવારે ૭-૧પ કલાકે પૂ. ધીરગુરૂદેવનું એક જ દે ચિનગારી વિષય પર જાહેર પ્રવચન યોજાશે. જયારે ૯.૧પ કલાકે જનકલ્યાણ હોલમાં પ્રવચન રાખેલ છે. પૂ. નયનાજી મ.સ.ની નિશ્રામાં સિધ્ધાર્થ માવાણી ૩૦ ઉપવાસમાં અને સંદીપ પતીરા, જિજ્ઞાબેન ઉચાટ, અક્ષીચ ઉચાટ, લબ્ધિ પારેખ, કિરણ પારેખ ૧૬ ઉપવાસમાં તેમજ ધ્રુવી વોરા, વૈશાલી પતીરા ૧૧ ઉપવાસમાં આગળ વધી રહ્યા છે. ડુંગર દરબા, પ્રવચનધારા હોલનો લાભ નીતાબેન દિનેશભાઇ રૂપાણીએ લીધેલ છે. તેમ બિપીન પતીરાની યાદીમાં જણાવાયું છે. 

(3:11 pm IST)