Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

દેશદેવી માં આશાપુરા પદયાત્રી ગ્રુપ દ્વારા રાજકોટથી માતાના મઢ કચ્છ સુધી પદયાત્રાનું આયોજન

તા. ૨૬ ના રાજકોટથી પ્રસ્થાન : તા. ૪ ના માતાના મઢ કચ્છ પહોંચશે : તમામ પદયાત્રીને ૧ લાખના વિમાનું સુરક્ષા કવચ : નામ નોંધણી શરૂ

રાજકોટ તા. ૭ : દેશદેવી માં આશાપુરા પદયાત્રી ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટથી માતાના મઢ (કચ્છ) સુધી પદયાત્રાનું આયોજન કરાયુ છે.

તા. ૨૬ ના રવિવારે સવારે ૭ વાગ્યે  માર્કેટીંગ યાર્ડ પાસેના શ્રી ધનેશ્વર મહાદેવ મંદિર ખાતેથી પદયાત્રાને પ્રસ્થાન કરાવાશે. જે તા. ૪ ઓકટોબરના સોમવારે માતાના મઢ પહોંચશે.

રાજકોટથી પ્રારંભ કરાયા બાદ પ્રથમ રાત્રી રોકાણ મિતાણા કરાશે. ત્યાંથી આગળ વધી મોરબી બાયપાસ પંચાસર રોડ, જુના નાગડાવાસ, કટારીયા ગામ, વોંઘ, કબરાઉ મોગલધામ, ભુજ આર્મી કેમ્પ, મોટા ઘાવડા, રવાપર થઇ નીજ મંદિર માતાના મઢ ખાતે પહોંચશે.

નાત જાતના ભેદભાવ વગર કોઇપણ લોકો જોડાઇ શકશે. જોડાનાર દરેક પદયાત્રીને ૧ લાખ વીમાનું સુરક્ષા કવચ પુરૂ પડાશે. જોડાવા ઇચ્છુકોએ વધુ માહીતી અને નામ નોંધણી કરાવવા જય ગુરૂદેવ સીટ કવર, પેડક રોડ, માર્કેટીંગ યાર્ડની સામે, બગીચા પાસે, અંકુર પાની બાજુમાં, રાજકોટ ખાતે ખુશાલભાઇ ચાવડા (મો.૭૯૮૪૧ ૪૩૦૬૩) અથવા ચંદગનગીર ડી. ગોસ્વામી (મો.૯૭૨૩૨ ૯૦૭૯૦), જયેશભાઇ કેસરીયા (મો.૯૬૬૨૩ ૦૦૯૦૦), અશોકભાઇ ચૌહાણ (મો.૯૪૨૭૧ ૫૭૯૩૮), અશોકભાઇ ભાનુશાળી (મો.૯૩૨૮૦ ૦૮૪૦૨) નો સંપર્ક કરવા જણાવાયુ છે.  

(3:13 pm IST)