Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ દ્વારા સફળતાનો સંવાદ

રાજકોટ : આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ ગુજરાતૅ દ્વારા  તાજેતરમાં  જીપીએસસી પરીક્ષામાં પાસ થયેલ આહીર સમાજના કલાસ -૧ અધિકારીઓ સાથે સફળતાનો સંવાદૅ વિષય ઉપર માર્ગદર્શન વેબીનાર યોજવામાં આવેલ. જેમાં શ્રી ધવલભાઈ કારેથા (ડેપ્યુટી ડાયરેકટર કલાસ -૧ ઓફિસર), વિવેકભાઈ ભેડા (ડીવાયએસપી કલાસ -૧ ઓફિસર), કૃણાલભાઈ રાઠોડ (ડીવાયએસપી  કલાસ -૧ ઓફિસર) દ્વારા લોકોને સ્પર્ધાત્મક પરીક્ષા (ખાસ કરીને જીપીએસસી) લગતું માર્ગદર્શન અને વિદ્યાર્થીઓના પ્રશ્નોેના ઉત્તરો અપાયા હતા. સંવાદ વકતા તરીકે અશોકભાઈ ગુજ્જર મોટીવેશનલ સ્પીકર જોડાયેલ હતાં. સોશ્યિલ મીડિયાના સદુપયોગ દ્વારા સમાજના  ઘણાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રેરણા પુરી પાડી હતી.

(3:14 pm IST)