Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

છાપરાની કામધેનુ ગૌશાળામાં હોમાત્મક યજ્ઞ સંપન્ન : શુક્રવારે સહસ્ત્ર મોદક ગણપતિ મહાયાગ

રાજકોટ : કાલાવડ રોડ પર છાપરા મુકામે મનોકામના સિધ્ધ હનુમાનજીના પ્રાંગણમાં આવેલ કામધેનુ ગૌશાળા ખાતે હોમાત્મક લઘુરૂદ્ર મહાયાગ કરવામાં આવ્યો હતો. શાસ્ત્રીશ્રી સુનિલભાઇ ભટ્ટે વિધિવિધાન સાથે આ કાર્ય પૂર્ણ કરાવેલ. પ્રવિણસિંહ ચૌહાણ - ચોટીલા, ગીરીશભાઇ દવે - ભાયાવદર, ડી. એચ. મકવાણા - ગોંડલ સહીત ૧૬ લોકોએ હોતા તરીકેનો લાભ લીધો હતો. દર્શનાર્થે પધારેલા લોકોએ પણ વૈદિક મંત્રો સાથે આહુતિ અર્પણ કરવાનો લાભ લીધો હતો. કમલેશ જાની, મહેન્દ્રસિંહ રાણા, શૈલેષ જાની, પરાશરભાઇ, રમાકાંતભાઇ, જવલંતભાઇ છાયા, અન્નપૂર્ણાબેન વગેરે શિવ સાનિધ્યમાં ઉપસ્થિત રહેલ. સિધ્ધનાથ ગીરનારી મહારાજની કૃપાથી આ યજ્ઞ પૂર્ણ થયેલ. તેમ વાય. એન. ઠાકર (યોગી) ની યાદીમાં જણાવાયુ છે. દરમિયાન આગામી તા. ૧૦ ના શુક્રવારે આ સ્થળે સહસ્ત્ર મોદક ગણપતિ મહાયજ્ઞનું પણ આયોજન કરાયુ છે. જેના આચાર્યપદે ગામ પીપર નિકાવાના શાસ્ત્રી સુનિલભાઇ ભટ્ટ બિરાજશે. ધર્મપ્રેમી સૌ કોઇને આ ધર્માનુષ્ઠાનનો લાભ લેવા અને વધુ માહીતી માટે મુકેશભાઇ જોશીનો સંપર્ક કરવા વાય. એન. ઠાકર (મો.૮૭૮૦૨ ૭૫૧૨૦) ની યાદીમાં જણાવાયુ છે. 

(4:02 pm IST)