Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

સફાઇ કામદાર જાગૃતિ મંડળમાં ભરત બારૈયા અને મનસુખ વાઘેલાનીઅ.ભા.વાલ્મિકી મંડળમાં નિમણુંક

રાજકોટ : અત્રેના દિલ્હી અખિલ ભારતીય વાલ્મીકી મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.જી.એસ.વિશ્નર રાજસ્થાન અધ્યક્ષ ગુરૂદયાલ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાન્તભાઇ સોલંકીની  ભલામણ સફાઇ કામદાર જાગૃતિ મંડળના પ્રમુખ ભરતભાઇ બારૈયાને ગુજરાત રાજયના ઉપાધ્યક્ષ તરીકે નીમણુંક કરવામાં આવી છે અને મંડળના મંત્રી મનસુખભાઇ એચ.વાઘેલાને અખીલ ભારતીય વાલ્મીકી મહાસભામાં રાષ્ટ્રીય ઉપ સચીવ તરીકે નીમણુંક કરાઇ છે. આ નિમણુંકને સર્વે હોદ્દેદારોએ આવકારી અભિનંદન પાઠવ્યા હતા. તે વખતની તસ્વીર- આ તકે સફાઇ કામદાર જાગૃતિ મંડળના ઉપપ્રમુખ અશોકભાઇ બારૈયા, સહમંત્રી અતુલભાઇ ઝાલા ખજાનચી શૈલેષભાઇ વાઘેલા કાર્યાલય મંત્રી ભાર્ગવ વાઘેલા યુવા જાગૃતિ મંડળના પ્રમુખ રાજેશભાઇ વાઘેલા ઉપપ્રમુખ કૌશીકભાઇ સોઢા મંત્રી રોહીતભાઇ બારૈયા સહમંત્રી પ્રકાશભાઇ વાઘેલા ખજાનચી વિમલભાઇ વાળા, રક્ષિત કામદારના પ્રમુખ ચમનભાઇ શીંગાળા સહીત વાલ્મીકી સમાજના આગેવાનો ઉપસ્થિત હતા.

(4:03 pm IST)