Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

શાળા નં. ૯૩ના આચાર્ય વનીતાબેન રાઠોડનું મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા સન્માન

રાજકોટ : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વિનોબા ભાવે પે.સેન્ટર શાળા નંબર ૯૩ આચાર્ય વનીતાબેન રાઠોડને ગત ૫મી સપ્ટેમ્બર નાં શિક્ષકદિન નિમિત્ત્।ે ગુજરાત સરકાર દ્વારા રાજય પારિતોષિક માનનીય રાજયપાલ દેવવ્રત આચાર્યનાં હસ્તે એનાયત થયો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ દ્વારા વનિતાબેન રાઠોડનાં આ સન્માન બદલ રાજકોટનાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ગૌરવ પ્રાપ્ત સિધ્ધિ બદલ તારીખ ૩ ત્રીજી ઓકટોબર ના રોજ સરોજિની નાયડુ હાઈસ્કૂલ ખાતે સાલ શિલ્ડ આપી આ વર્ષના રાજય પારિતોષિક મળવા બદલ મેયર બીનાબેન આચાર્યનાં હસ્તે સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કૈલા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાસનાધિકારી કિરીટસિંહ પરમાર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સદસ્ય કિશોરભાઈ રાઠોડ કિરણબેન માકડીયા જગદીશભાઈ ભોજાણી મુકેશભાઈ મહેતા, દિપકભાઈ સાગઠીયા,શૈલેષભાઈ ભટ્ટ તથા સર્વ સીઆરસી કોઓર્ડિનેટર હાજર રહ્યા હતા. તથા દ્વારા મહાત્મા ગાંધી સાહિત્ય સેવા મંચ દ્વારા તા. ૨જી ઓકટોબર નાં વનિતાબેન રાઠોડ ને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય સન્માન દ્વારા સન્માનીત કરવામાં આવ્યા.

(3:11 pm IST)