Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

મારામારીના બાર ગુનામાં હદપાર કરાયેલો અમીત સાકળેચા પકડાયો

રાજકોટ, તા.,૭: શહેરના માલવીયાનગર અને ભકિતનગર વિસ્તારમાં મારામારી સહીતના બાર ગુનામાં હદપાર કરાયેલા શખ્સને એસઓજીની ટીમે પકડી લીધો છે.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સુચનાથી એસઓજીના પીઆઇ આર.વાય.રાવલના માર્ગદર્શન હેઠળ એએસઆઇ ધર્મેન્દ્રસિંહ રાણા, અજયભાઇ શુકલા અને રણછોડભાઇ આલ સહીતે બાતમીના મારામારીના અનેક ગુનામાં હદપાર કરાયેલા અમીત ભરતભાઇ સાંકળેચા (ઉ.વ.૩૬) ને ભકિતનગર મેઇન રોડ પરથી ઝડપી લીધો હતો. પકડાયેલા શખ્સ મારામારીના ડઝનેક જેટલા ગુનામાં સામેલ હોઇ તેથી તેને હદપાર કરવામાં આવ્યો હતો.

(3:22 pm IST)