Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

આ વળી નવું...વહુએ પરિચિત રિક્ષાવાળા પાસે સાસુને માર ખવડાવ્યોઃ બંનેની ધરપકડ

હરિધવા રોડ ન્યુ સુભાષનગરના ૫૮ વર્ષના મંજુલાબેન ડોબરીયાએ પુત્રવધૂ શિલ્પા અને રિક્ષાવાળા અનિલ સરપદડીયા સામે ફરિયાદ કરી

રાજકોટ તા. ૭ : હરિધવા રોડ પર ન્યુ સુભાષનગરમાં સાસુ હેરાન ન કરે તે માટે પુત્રવધુએ તેના પરિચિત રીક્ષા ચાલકને કહેતા રીક્ષાચાલકે ઘરમાં ઘુસી પ્રૌઢાને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ન્યુ સુભાષનગર શેરી નં. ૬માં રહેતા મંજુલાબેન રત્નાભાઇ ડોબરીયા (ઉ.પ૮) એ ભકિતનગર પોલીસ મથકમાં પુત્રવધુ શીલ્પા જીજ્ઞેશભાઇ ડોબરીયા અને ૮૦ ફુટ રોડ ખોડીયારપરા શેરી નં. ૩૪માં રહેતા અનીલ ભકિતરામભાઇ સરપદડીયા સામે ફરીયાદ નોંધાવેલ છે ફરીયાદમાં જણાવ્યા મુજબ મંજુલાબેન ગઇકાલે પોતના ઘરેહતા ત્યારે પુત્રવધુ શીલ્પા તેની સાથે રીક્ષામાં બેસીને એક ભાઇને ઘરે લઇ આવેલ અને પુત્રવધુ શીલ્પા અને રીક્ષા ચાલક બન્ને ઘરમાં પ્રવેશ કરી રીક્ષા ચાલકે મંજુલાબેનને ગાળો આપી ઝઘડો કરી અને ઉશ્કેરાઇને લાતો મારીને કહેલ કે 'તારી વહુને હેરાન કરીશ તો તને જાનથી મારી નાખીશ' તેમ ધમકી આપી હતી.મંજુલાબેને દેકારો માવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. અને પુત્ર જીજ્ઞેશભાઇ આવી જતા માતા મંજુલાબેનને છોડાવ્યા હતા. દરમ્યાન રીક્ષા ચાલક ત્યાંથી ભાગવા જતા પુત્ર જીજ્ઞેશભાઇએ રીક્ષા ચાલકને શેરીના ખુણેથી પકડી લીધો હતો અનેતેનું નામ પુછતા તેેણે પોતાનુ નામ અનીલ ભકિતરામભાઇ સરપદડીયા (રહે. ૮૦ ફુટ રોડ ખોડીયારપરા શેરી નં.૩૪) જણાવ્યું હતું. બાદ તેને પકડી ભકિતનગર પોલીસ મથકે લઇ ગયા બાદ એ.એસ.આઇ. ફીરોજભાઇ શેખ તથા રાઇટર ભરતભાઇ જોગીયાએ મંજુલાબેનની ફરીયાદ પુત્રવધુ શીલ્પા અને રીક્ષા ચાલક અનીલ ભકિતરામભાઇ સરપદડીયા સામે ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરી હતી.આ અંગે એ.એસ.આઇ. ભરતસિંહ સોલંકીએ તપાસ હાથ ધરી છે.

(3:21 pm IST)