Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

કાલે રાજકોટમાં જીતુભાઇ વાઘાણીની જન આશીર્વાદ યાત્રા

માધાપર ચોકડીથી પ્રારંભ : ભાજપ કાર્યાલયે સમાપન : ૧૫ કિ.મી.નો રૂટ : શહેર ભાજપ ફુલડે વધાવશે

રાજકોટ,તા. ૭: શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની સંયુકત યાદીમાં જણાવેલ છે કે ભાજપા સરકાર દ્વારા કરાયેલા કાર્યો પણ પ્રજા સુધી પહોંચે તે હેતુસર પ્રજાના આશિર્વાદ મેળવવા માટે 'જન આશિર્વાદ યાત્રા'નું આયોજન કરાયેલ હોય તે અંતર્ગત રાજકોટ ખાતે આવતીકાલે રાજયના કેબીનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીની 'જન આશિર્વાદ યાત્રા' તા.૮/૧૦ ના શુક્રવારના રોજ યોજાનાર છે. આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવા શહેર ભાજપ દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવેલ છે 'જન આશિર્વાદ યાત્રા'  સમગ્ર રૂટ ઉપર વિવિધ સેવાકીય, સામાજીક, શૈક્ષણિક સંસ્થાઓ ઘ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત અને  સાંસ્કૃતીક કાર્યક્રમો, રાસગરબી ઘ્વારા રાસના સથવારે ડી.જે, બેન્ડની  સૂરાવલિઓ સાથે દેશભકિતના ગીતોથી વાતાવરણ ગુંજશે.

જીતુભાઈ વાઘાણીની 'જન આશિર્વાદ યાત્રા' સવારે ૧૦:૦૦ થી માધાપર ચોકડી ખાતે ભવ્ય સ્વાગત સાથે પ્રારંભ થઈ અયોઘ્યા ચોક,શીતલ પાર્ક ચોક,નાણાવટી ચોક,રૈયા ચોકડી, ત્રીમુર્તી બાલાજી મંદિર, ૧પ૦ ફુટ રીંગ રોડ,ઈન્દીરા સર્કલ,કે.કે.વી. સર્કલ,નાનામવા ચોકડી,બાલાજી સર્કલ, ઓમનગર સર્કલ,મવડી ચોકડી,રાજુભાઈ બોરીચાની  ઓફીસ,વિશ્વેશ્વર મહાદેવ મંદીર,ફુલીયા હનુમાન, મંદીર, મવડી ,મેઈન રોડ,ખાદીભવન ચોક,સરોજીની નાયડુ સ્કુલ ચોક,સ્વામી નારાયણ ચોક ,લોધેશ્વર ચોક, પીડીએમ કોલેજ,નારાયણ નગર આરોગ્ય કેન્દ્ર,ત્રીશુલ ચોક,જીવરાજ હોસ્પિટલ ચોક,જલારામ ચોક, ભકિતનગર સર્કલ,વર્ષા પાન ચોક,કાન્તા સ્ત્રી વિકાસ ચોક,ઢેબર રોડ, ભુતખાના ચોક, કાપડ મીલ પાસે કિશોરસિહજી મેઈન રોડ,મઢુલી ચોક થઈને  કરણપરા સ્થિત શહેર ભાજપ કાર્યાલય ખાતે સમાપન થશે.

યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરશે. ૧પ કી.મી. કરતા પણ વધારે  લાંબા કુલ ૩૦ થી પણ વધારે રૂટ પર યાત્રાનું ભવ્ય સ્વાગત કરાશેઃ સામાજીક–શૈક્ષણિક–સેવાકીય સંસ્થાઓના અગ્રણીઓ જોડાશે, સમગ્ર રૂટ પર બેન્ડ–ડીજે– સાંસ્કૃતીક કાર્યક્રમો – દેશભકિતના ગીતો ગુંજશે.

ઠેર–ઠેર લોકોનું અભિવાદન ઝીલી યાત્રાનું શહેર ભાજપ કાર્યાલય ખાતે સમાપન થશે વિવિધ રૂટ પર જનસમુદાય આશિર્વાદ સાથે ભજન આશિર્વાદ યાત્રાભ ને ફુલડે વધાવશે, શહેર ભાજપના વિવિધ મોરચા અને વિવિધ સેલના પ્રમુખ–મહામંત્રીઓ, સંયોજકો સહીતના કાર્યકર્તાઓ રૂટ પર ખડે પગે રહી વ્યવસ્થા જાળવશે  તેમ અંતમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરએ જણાવેલ છે.

(3:30 pm IST)