Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

પાટીદાર સમાજ અને ભાજપની પ્રગતિ સાથે જઃ જીતુ વાઘાણી

રાજકોટઃ રાજયની પાટીદાર સમાજ અને ભાજપની પ્રગતિ એક સાથે થયાનું મંતવ્ય શીક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આપ્યું છે. તેમણે આજે ખોડલધામ ખાતે સન્માન સમારોહ અને પત્રકારો સાથેની વાતચીતમાં આ ઉચ્ચારણો કર્યા હતા.

પત્રકારોએ આ બાબતે પ્રશ્ન કરતા શ્રી વાઘાણીએ જણાવેલ કે આમા કોઇ તર્કનથી પરંતુ સૌ જાણીએ છીએ કે ભાજપ અને પાટીદાર બન્નેનો ગ્રોથ સાથે થયો છે. અન્ય સમાજોની પણ પ્રગતિ થઇ છે. છેલ્લા ર૬ વર્ષથી ગુજરાતની પ્રજાએ ભાજપને જનઆર્શીવાદ સાથે શાસન સોપેલ છે. દેશમાં નરેન્દ્રભાઇના નેતૃત્વના અને રાજયમાં ભુપેન્દ્રભાઇનાનેતૃત્વમાં વિકાસ થઇ રહ્યો છે. વિકાસ થઇ  આજના સન્માનથી મને અને નવી ઉર્જા મળી છે.

તેમણે ગુંડા તત્વોને શાનમાં સમજાવવા ટકોર કરી કાયદો વ્યવસ્થા બાબતે કડકવલણ અપનાવાઇ રહ્યાનો નિર્દેશ કર્યો છે.

(3:57 pm IST)