Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

ઇજાગ્રસ્ત મળેલા બાવળાવદરના જગદીશભાઇ પેશાવરીયાનું મોત

ગોંડલ હોસ્પિટલમાંથી રાજકોટ ખસેડાયા હતાં

રાજકોટ તા. ૮: ગોંડલ હોસ્પિટલમાંથી ઇજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલા જગદીશભાઇ  દયાળજીભાઇ પેશાવરીયા (ઉ.વ.૫૫)નું સારવાર દરમિયાન મોડી રાતે મોત નિપજ્યું છે.

વાહન અકસ્માતમાં ઇજા થયાની શકયતા જણાઇ હતી. આ પ્રોૈઢને ગોંડલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત હાલતમાં ખસેડાયા ત્યારે તેમનું નામ જગદીશભાઇ પેશાવરીયા હોવાનું પોરબંદરના બાવળાવદરના રહેવાસી હોવાનું જણાવાયું હતું. વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયેલ. પરંતુ અહિ મોડી રાતે દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના આર. એસ. સાંબડે ગોંડલ સીટી પોલીસને જાણ કરી હતી.

(12:06 pm IST)