Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

ઘાટકોપર હિંગવાલા સ્થાનકવાસી જૈન સંઘમાં યુવા વેકસીન કેમ્પ યોજાયો

રાજકોટઃ શનિવાર તા. ૫ ના રોજ ઘાટકોપર હિંગવાલા સ્થાનકવાસી જૈન સંઘ માં નિતિનભાઈ સંઘવી સ્થાપિત વીર ફાઉન્ડેશનના સહયોગ થી કપરા કોરોના મહામારી ના કાળ માં યુવા વર્ગને વેકિસન મેળવવામાં તકલીફ પડે છે ત્યારે સંઘ પ્રમુખ બિપિન ભાઈ સંઘવી અને નિતિનભાઈ સંઘવી એ યુવા વર્ગ માટે વેકિસનેસન કેમ્પનું સફળ આયોજન કર્યું અને અંદાજે ૨૦૦૦ યુવાનોએ કોવીશીલ્ડ  વેકિસનનો લાભ લીધેલ. વીર ફાઉન્ડેશન ત્થા શ્રી હિંગવાલા  સ્થાનકવાસી જૈન સંઘના અનેરા સેવાકીય કાર્ય ને બિરદાવવા  સાંસદ મનોજભાઈ કોટક ઘાટકોપરના નેતા પ્રકાશભાઈ મહેતા વર્તમાન ધારાસભ્ય પરાગભાઇ શાહ, કોર્પોરેટર ભાલચંદ્ર શીરસાદ જૈન જાગૃતિ સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી રમેશભાઈ મોરબિયા ત્થા ઘાટકોપર ગુજરાતી સમાજના પ્રમુખ જીતેન્દ્રભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા.

(2:58 pm IST)