Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

રાજકોટ મહાવીરનગર સ્થા.જૈન સંઘમાં પ્રમુખપદે પ્રતાપભાઇ વોરાની વરણી

રાજકોટઃ તા.૮,સેવાભાવી    પ્રતાપભાઈ વોરાની રાજકોટ મહાવીર નગર સ્થાનકવાસી જૈન સંઘમાં  પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સેવાભાવી   પ્રતાપભાઈ વોરા રાજકોટ મહાવીર નગર સ્થા.જૈન સંઘમાં છેલ્લા ત્રીસ વરસથી સેવા પ્રદાન કરે છે. પૂર્વ પ્રમુખ સ્વ.મુકેશભાઈ કુંભાણી, સ્વ.કાંતિભાઈ શેઠ અને થોડા દિવસો પૂર્વે જેઓ અરિહંત શરણ પામેલ  સ્વ.દિલીપભાઈ મહેતા આમ, ત્રણ - ત્રણ પ્રમુખો સાથે તેઓ ખંભેખંભા મિલાવી ચતુર્વિધ સંઘ સેવામાં તત્પર રહેતાં તેની ફળશ્રુતિ રૂપે મહાવીરનગર સંઘની કારોબારીએ પ્રતાપભાઈ રતિલાલ વોરાની પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરેલ છે.

તેઓ નવકાર મંડળમાં પ્રમુખ તરીકે અને પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા. પ્રેરિત રાજકોટ શ્રી ઉવસગ્ગહરં સાધના ભવન ( પારસધામ )માં ટ્રસ્ટી તરીકે નોંધપાત્ર સેવા પ્રદાન કરે છે. ઉપકારી પૂ.સાધુ - સાધ્વીજીઓની સેવા - વૈયાવચ્ચમાં પ્રતાપભાઈ અગ્રેસર હોય છે. અંબિકા પાર્ક ફલેટ હોલ્ડર એસોસિએશનમાં માનદ્ મંત્રી તરીકે સરાહનીય સેવા આપે છે. તાજેતરમાં શહેર ભાજપ કારોબારી સદ્દસ્ય તરીકે તેઓની નિમણૂંક થયેલી છે. પ્રતાપભાઈ વોરા રાજકોટ શિક્ષણ સમિતિમાં પણ કાબિલેતારીફ સેવા આપેલી છે. પ્રતાપભાઇને મો. ૯૪૨૭૨ ૫૫૦૦૫ ઉપર ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યાં છે.

(3:06 pm IST)