Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા 'સંપર્ક સે સમર્થન' અભિયાન

 દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈમોદીના નેતૃત્વવાળી ભાજપા સરકારને નવ વર્ષ પૂર્ણ થયા છે તે અંતગર્ત પ્રદેશ ભાજપની યોજનાનુસાર તા.૧ જૂન થી તા.૩૦ જૂન સુધી વિશેષ જનસંપર્ક અભિયાનના માઘ્યમથી અનેકવિધ કાર્યક્રમો યોજાઈ  રહયા છે. ત્યારે રાજકોટ પૂર્વ (વિધાનસભા–૬૮)ના ધારાસભ્ય ઉદય કાનગડએ ભસંપર્ક સે સમર્થન ભ કાર્યક્રમ અંતર્ગત પૂર્વ ધારાસભ્ય ટપુભાઈ લીંબાશીયા, ગુરૃ દતાત્રેય શરાફી મંડળીના વાઈસ ચેરમેન જગદીશભાઈ લાઠીયા, ડીરેકટર ગોરધનભાઈ કાપડીયા, છગનભાઈ રાબડીયા, વલ્લ્ભભાઈ લીંબાશીયા, આહીર સમાના પ્રભાતભાઈ ડાંગર, બ્રહમાકુમારીના શ્રી રેખાદીદી, કારડીયા રાજપુત સમાના અજીતભાઈ ચૌહાણ તેમજ પ્રજાપતી સમાજના સર્વે આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત યોજી હતી. તેમજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની નવ વર્ષની સિઘ્ધીઓ વર્ણવતી બુકલેટ અર્પણ કરી હતી. ભાજપ સરકારની વિવિધ યોજનાઓની માહિતી પુરી પાડી હતી. આ તકે શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ પણ ઉપસ્થિત રહયા હતા.

(5:19 pm IST)