Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

જશાપરમાં અઠ્ઠાઇના તપસ્‍વી હિતેશકુમારનું સન્‍માન

રાજકોટ તા.૮ : શ્રી જશાપર સ્‍થાનકવાસી જૈન સંઘ ખાતેની નાની ઉંમરમાં ૮ ઉપવાસની તપસ્‍યા કરનાર ચિ. હિતેશ જયેશભાઇ ગાગલીયાનું સન્‍માન ભુવનભાઇ બથીયા અને રાજકોટના સિધ્‍ધીતપ આરાધક રમેશભાઇ ગાંધી અને વરસીતપ આરાધક ગીતાબેનનું મગનભાઇ જોટંગીયા તેમજ પંચવટી દેરાસરના વિપુલભાઇ શાહનું સન્‍માન કરાયુ હતુ.લંડનના શૈલેષભાઇ વિરાણી બહેરા-મુંગા શાળા ટ્રસ્‍ટી પ્રશાંતભાઇ વોરા તેમજ રાજેશભાઇ વિરાણી, મલાડના મુકુંદભાઇ ઝાટકીયા વગેરેએ દર્શનાદિનો લાભ લીધેલ.

(12:03 pm IST)