Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

ભૂદેવ સેવા સમિતી આયોજીત ગણેશોત્સવમાં સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતિના કાર્યકરોની ગણેશજીને વંદના

રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર ભૂદેવ સેવા સમિતિના તેજસભાઇ ત્રિવેદીની આગેવાનીમાં ''રાજકોટ કા મહારાજા'' ગણેશ મહોત્સવનુ આયોજન કરાયું છે. જેમાં તેજસભાઇ ત્રિવેદીએ આમંત્રણ પાઠવતા શ્રી સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતિના આગેવાનો, કાર્યકરો જનકભાઇ મહેતા, ઘનશ્યામભાઇ મહેતા, દક્ષિણભાઇ જોષી (ખજાનચી) વિપુલ દવે (માનદ્દમંત્રી-મંડળ) ગીરીશભાઇ મહેતા (પ્રમુખ યુવા સંગઠન) રાજેશભાઇ મહેતા (ઉપપ્રમુખ યુવા સંગઠન) હિરેનભાઇ ખંભોળીયા (મંત્રી યુવા સંગઠન) એ દર્શનનો લાભ લીધો હતો. તેજસભાઇ ત્રિવેદીએ જ્ઞાતિજનોનુ ખેસ અર્પણ કરીને સન્માન કર્યુ હતું. જે તસ્વીરમાં નજરે પડે છ.ે

(3:42 pm IST)