Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

કોઠારીયા સોલવન્‍ટ શિતળાધારમાં તાવથી ૧ાા વર્ષના બાળકનું મોત

મુળ યુપીના દંપતિએ પુત્ર ગુમાવતાં અરેરાટીઃ ચાર દિવસથી તાવ હતો અને દવા ચાલુ હતીઃ ફરી દવાખાને લઇ જતી વખતે દમ તોડયો

રાજકોટ તા. ૮: તાવથી જંગલેશ્વરના દાદી-પોૈત્રના મોત નિપજ્‍યા બાદ હવે કોઠારીયા સોલવન્‍ટ શિતળાધારના એક બાળકનું તાવથી મોત થયું છે.

જાણવા મળ્‍યા મુજબ શિતળાધાર ૨૫ વારીયામાં રહેતાં મુળ યુપીના સર્વજીત ચોૈહાણના પુત્ર પિયુષા (ઉ.વ.૧ાા)ને ચારેક દિવસથી તાવ આવતો હોઇ દવા ચાલુ હતી. ગઇકાલે તબિયત વધુ બગડતાં ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ રસ્‍તામાં જ તે બેભાન થઇ ગયો હતો. તેને ત્‍યાંથી સિવિલમાં લઇ જવાનું કહેવાતાં કે. ટી. ચિલ્‍ડ્રન વિભાગમાં લાવવામાં આવ્‍યો હતો. પરંતું અહિ બાળકે દમ તોડી દેતાં માતા-પિતા સહિતના સ્‍વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં.

સર્વજીત કારખાનામાં કામ કરે છે. તેને અગાઉ ત્રણ દિકરી હતી અને આ એકનો એક દિકરો હતો. હોસ્‍પિટલ ચોકીના હેડકોન્‍સ. વી. બી. રાજપૂતે જાણ કરતાં આજીડેમ પોલીસ મથકના એએસઆઇ વી. બી. સુખાનંદીએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:51 pm IST)