Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

ગાંધીગ્રામમાં ૬૫ વર્ષના દિલીપભાઇ વાઢીયાએ ગળાફાંસો ખાઇ મોત મેળવ્યું

પુત્ર સાથે રહી રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં: ઘરે એકલા ત્યારે હતાં ત્યારે પગલુ ભર્યુઃ ભત્રીજી આટો મારવા આવતાં ઘટનાની જાણ થઇ

રાજકોટ તા. ૯: ગાંધીગ્રામમાં સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ બ્લોક નં. ૧૩/૩૮૫માં રહેતાં દિલીપભાઇ જમનાદાસ વાઢીયા (ઉ.વ.૬૫) નામના વૃધ્ધે પ્લાસ્ટીકની દોરી છતના હુકમાં બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ. કે. કે. ઝાલા તથા પ્રદિપભાઇ કોટડે ત્યાં પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ દિલીપભાઇ તેના પુત્ર સાથે રહેતાં હતાં અને રિક્ષા હંકારી મદદરૂપ થતાં હતાં. તેમનો પુત્ર દિવાનપરા પાસેની દૂકાનમાં નોકરી કરે છે. ગઇકાલે પુત્ર કામ સબબ બહારગામ હોઇ દિલીપભાઇ ઘરે એકલા હતાં એ વખતે  આ પગલુ ભરી લીધું હતું.

વૃધ્ધની ભત્રીજી અવાર-નવાર ઘરે આટો મારવા આવતી હોઇ તે સાંજે ઓચીંતી આવતાં તેમણે દિલીપભાઇને નીચે પડેલા જોયા હતાં. ગળાફાંસાનો દોરી તુટી ગયેલી દેખાઇ હતી. વૃધ્ધે આ પગલુ કયા કારણોસર ભર્યુ તેનું કોઇ સ્પષ્ટ કારણ બહાર આવ્યું ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.

(3:10 pm IST)