News of Tuesday, 9th February 2021
રાજકોટ, તા. ૯ : કોરોના મહામારીમાં અદાલતો લોકડાઉન થયા બાદ અનલોક વખતે નહીં ખૂલેલી રાજકોટ ચાર મહાનગરની અદાલતો તારીખ ૧લી માર્ચથી રેગ્યુલર ખોલવાના હાઈકોર્ટના નિર્ણયની ખુશીમાં રાજકોટ બાર એસોસિએશન દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે લાઈબ્રેરી વ્યવસ્થિત કરવા બદલ લાઇબ્રેરી સેક્રેટરી સંદીપ ગઠરીયા નું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ લોકડાઉન ગાળામાં સુંદર સ્વચ્છતા કામગીરી બદલ મહિલા સફાઇ કામદારોને સાડી વિતરણ કરવામાં આવ્યું હતું.
કોરોના મહામારી બાદ રાજકોટ સહિતના ચાર મહાનગરોની અદાલતો રેગ્યુલર ચાલુ નહીં કરવા સામે રાજકોટ બાર એસોસિએશન ઉપરાંત અમદાવાદ સુરત અને વડોદરા બાર એસોસિયેશન દ્વારા મીટીંગ બોલાવીને રાજકોટ બાર એસોસિયેશનના પ્રમુખ બકુલ રાજાનેની આગેવાની હેઠળ ચીફ જસ્ટિસને રજૂઆત કરવામાં આવી હતી અને અન્ય તમામ સરકારી કચેરીઓ અને વિભાગો ખુલી રહ્યા છે ત્યારે ચાર મહાનગરોની તમામ અદાલતો રેગ્યુલર ચાલુ કરવા રજૂઆત કરવામાં આવી હતી તેમજ રાજકોટ એસોસિએશન દ્વારા ચાર દિવસ કર્ણ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું જેના પગલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા તારીખ ૧લી માર્ચથી ચારે મહાનગરોની અદાલતો રેગ્યુલર ચાલુ કરવાના નિર્ણય આપવામાં આવતા રાજકોટ સહિતના ચારેય શહેરોના વકીલોમાં ખુશીની લહેર પ્રસરી હતી. જેથી રાજકોટ બાર એસોસિયેશનના પ્રમુખ બકુલ રાજાણીની આગેવાની હેઠળ આજે કોર્ટ સંકુલ ખાતે લાવવામાં આવ્યો હતો તેમાં મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે રાજકોટ બાર એસો.ની હસ્તકની લાઇબ્રેરી માં પુસ્તકો લોકડાઉન ગાળામાં વ્યવસ્થિત વર્ગીકરણ કરવા બદલ લાઈબ્રેરી સેક્રેટરી સંદીપ વેકરીયા નું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ કોર્ટ નવ મહિના સુધી બંધ રહેલ ગાળામાં સુંદર સફાઇ વ્યવસ્થા જાળવી રાખવા બદલ સફાઈકામ બદલ મહિલા સફાઇ કામદારોને સાડી વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ચાર મહાનગરોની અદાલતો રેગ્યુલર ચાલુ કરાવવા માટે રાજકોટ બાર એસોસિયેશનના પ્રમુખ બકુલ રાજાણીએ વખતોવખત હાઈ કોર્ટ તેમજ કાનૂન વિભાગ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી આના ફળસ્વરૂપે અદાલતો ચાલુ થતા પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજે પ્રમુખ બકુલ રાજાણીનું પણ સન્માન કર્યુ હતું. આ કાર્યક્રમમાં
જેને બારની લાયબ્રેરીના સેક્રેટરી સંદીપભાઈ વેકરીયાએ કાયા પલટ કરેલ હોય તેની ડિસ્ટ્રીકટ જજ, અન્ય જજૅસ તથા પ્રમુખ સહિતના હોદ્દેદારો તેમજ વકીલો દ્વારા ખુબ જ પ્રશંસા કરવામાં આવી હતી.