Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

એલઆઇસી દ્વારા જીવન વીમા અંગે જાગૃતિ અભિયાનનો પ્રારંભ

૧૪મી સુધી પ્રચાર વાહનોનો રથ ફરશે, વીમા અંગે માહિતી આપશેઃ જયંત કુમાર અરોરા

રાજકોટઃ એેલઆઇસી રાજકોટ વિભાગ  દ્વારા સમગ્ર રાજકોટ-કચ્છ વ્યાપી જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત વિશિષ્ટ રીતે તૈયાર કરાયેલા પ્રચાર વાહનો સૌરાષ્ટ્ર કચ્છના વિવિધ વિસ્તારમાં ફરીને જીવન વીમા અંગે માર્ગદર્શન આપશે અને જીવન વીમા અંગે જનજાગૃતિ ફેલાવશે. તા.૮ ફેબ્રુઆરી થી ૧૪ ફેબ્રુઆરી સુધી ચાલશે. એેલઆઇસી રાજકોટ વિભાગના સિનીયર ડિવીઝનલ મેનેજર જયંત કુમાર અરોરાએ ૬ પ્રચાર વાહનોનો પ્રસ્થાન કરાવ્યુ હતુ.

આ અંગે વધુમાં જણાવ્યુ હતુ કે પાકતી પોલીસીના નાણા વિમાધારકોને સમયસર મળી રહે તે માટે તમામ વિમાધારકોને તેમના બેંક ખાતાઓની માહિતી તથા મોબાઇલ નંબરની નોંધણી એેલઆઇસીની શાખાઓમાં કરાવી લેવા ઉપરાંત એેલઆઇસીની બંધ પડેલ પોલીસી પુનઃ ચાલુ કરાવવા આપેલ ખાસ રાહતોનો લાભ ઉઠાવવા જયંતકુમાર અરોરાએ અનુરોધ કરેલ. તેમ યાદીમાં જણાવાયું છે.

(3:16 pm IST)