Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

વોર્ડ નં. ૧ના કોંગ્રેસ પ્રમુખ હર્ષાબા જાડેજાએ પક્ષ છોડયોઃ ભાજપમાં જોડાયા

ટીકીટ નહી મળતા અપક્ષ ફોર્મ ભરીને પાર્ટીમાંથી રાજીનામુ આપ્યુઃ આજે ફોર્મ પાછુ ખેંચી ભાજપને સમર્થન

રાજકોટ, તા., ૯:  રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે રાજકોટ મહાનગર પાલિકાની પણ ચૂંટણી યોજાનારી છે. જેને લઈને ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષો દ્વારા ઉમેદવારો પણ જાહેર કરવામાં આવ્યા છે.

ત્યારે કેટલાક પક્ષના નેતાઓને ટિકિટ ન મળતા તેઓ પક્ષથી નારાજ થયા છે. જેમાં  રાજકોટ વોર્ડ નંબર-૧ના કોંગ્રેસના પ્રમુખ હર્ષદભાઈ જાડેજાએ પણ ટિકિટ ન મળતા કોંગ્રેસ પક્ષમાંથી છેડો ફાડ્યો હતો. અને પક્ષમાંથી રાજીનામુ આપી તે અપક્ષ ફોર્મ ભરેલ અને આજે ફોર્મ પાછુ ખેંચી ભાજપમાં જોડાયા હતા.

સુત્રોના જણાવ્યા મુજબ વોર્ડ નં. ૧ના કોંગ્રેસના પ્રબળ દાવેદાર હર્ષાબા જાડેજાને ટીકીટ નહી મળતા તેઓ ભારે નારાજ થયેલ અને અપક્ષ ઉમેદવારી નોંધાવેલી દરમીયાન ક્ષત્રીય આગેવાનોની સમજાવટથી હર્ષાબાએ આજે અપક્ષ ઉમેદવારી પાછી ખેંચી લઇ અને ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો હતો.

(4:07 pm IST)