Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

સ્થાનીક સ્વરાજયની ચૂંટણી માટે ખર્ચના નિરીક્ષકો નિયુકત

રાજકોટ માટે સહાયક વેરા કમિશનર આઇ.આર.પટેલ

રાજકોટ તા. ૯ : રાજય ચૂંટણી પંચ દ્વારા નગરો, મહાનગરો અને તાલુકા-જિલ્લા પંચાયતોની ચૂંટણી માટે નાણા વિભાગના અધિકારીઓને ખર્ચના નિરીક્ષક તરીકે નિયુકત કર્યા છે.

રાજકોટ કોર્પોરેશન જિલ્લાની પંચાયતો અને નગરપાલિકાઓ માટે અમદાવાદના સહાયક રાજય વેરા કમિશનર આઇ. આર. પટેલની નિમણુંક કરવામાં આવી છે. અમરેલીમાં જે.એચ. ગઢવી, સુરેન્દ્રનગરમાં જે.એચ. ઠાકરની નિમણુંક કરવામાં આવી છે.

(4:07 pm IST)