Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

બપોરે ૨.૩૦ વાગ્યે ઉમેદવારોની સ્થિતિ

૭ વોર્ડોમાંથી ૧૦ અપક્ષ અને ૨ NCPના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધા

વોર્ડ નં. ૩માં ૩, વોર્ડ નં. ૬માં ૧ NCP, વોર્ડ નં. ૧૧માં ૧ અપક્ષ, વોર્ડ નં. ૧૩, ૧૪, ૧૫માં ૫ અપક્ષો, વોર્ડ નં. ૧૮માં ૧ NCP અને વોર્ડ નં. ૧૭માં ૧ અપક્ષે ફોર્મ પાછા ખેંચ્યા

રાજકોટ તા. ૮ : આજે મ.ન.પા.ની ચૂંટણીના ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચવાના છેલ્લા દિવસે બપોરે ૨.૩૦ સુધીમાં ૭ જેટલા વોર્ડમાંથી ૧૦ અપક્ષ અને ૨ એન.સી.પી.ના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધા હતા.

કલેકટર કચેરીએ બપોરે ૨.૩૦ વાગ્યે જાહેર કર્યા મુજબ વોર્ડ નં. ૧, ૨, ૩માં કુલ ૩ અપક્ષ, વોર્ડ નં. ૬માં ૧ એન.સી.પી. અને વોર્ડ નં. ૧૧માં ૧ અપક્ષ, વોર્ડ નં. ૧૩માં ૧, વોર્ડ નં. ૧૪માં ૧ તથા વોર્ડ નં. ૧૫માં ૩ એમ આ ત્રણેય વોર્ડમાં કુલ ૫ અપક્ષોએ ફોર્મ પાછા ખેંચી લીધા હતા.

જ્યારે વોર્ડ નં. ૧૮માં ૧ એન.સી.પી. અને વોર્ડ નં. ૧૭માં ૧ અપક્ષ આ તમામ મળી કુલ ૧૦ અપક્ષો અને ૨ એન.સી.પી.ના ઉમેદવારો મળી કુલ ૧૨ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા હતા.

મોટા ભાગના અપક્ષોએ ભાજપના સમર્થનમાં તથા એન.સી.પી.ના ઉમેદવારોએ કોંગ્રેસના સમર્થનમાં ફોર્મ પાછા ખેંચ્યા હતા. જો કે આખરી ચિત્ર ૩ વાગ્યા બાદ કલીયર થશે.

(4:14 pm IST)