Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

જીરાવાલા પાર્શ્વનાથ જૈન દેરાસરનું રવિવારે ખાતમુહુર્ત તથા શીલાસ્‍થાપન : ઉછામણી

સંગીતકાર અંકુરભાઇ શાહ ભકિત સંગીત દ્વારા રસતરબોળ કરશે

રાજકોટ તા. ૯ : શ્રી આનંદ મંગલ શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્‍છ જૈન સંઘ રાજકોટનાં ઉપક્રમે લાભાર્થ ધર્મીશાબેન ભાવિનભાઈ મહેતા(ભાણવડવાળા)- અપૂર્વ હેત,ᅠ શ્રી જીરાવાલા પાર્શ્વનાથ ભગવાનના નિર્માણ થનાર નૂતન જિનાલયનાં ખાતમુર્હત તા. ૧ર રવિવારનાં સર્વેને પધારવાનું ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.ᅠᅠ

શ્રી સંઘ સ્‍થાપક શ્રી સંઘ પ્રેરક પરમ પૂજય આચાર્ય ભગવંત શ્રી વિશ્વકલ્‍યાણ સૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્‍યરત્‍ન, પરમ પૂજય આચાર્ય ભગવંત શ્રી યશોવિજય સૂરીશ્વરજી મહારાજ સાહેબ, દિવ્‍ય કૃપા પ.પૂ.પન્‍યાસ શ્રી વજ્રસેન વિ. ગણિવર્ય, પાવન નિશ્રા પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી મનમોહન સૂરીશ્વરજી મ.સાહેબ, પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી હેમપ્રભસૂરીશ્વરજી મ.સાહેબ આદી સાધુ ભગવંતો, પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજનાં શિષ્‍યરત્‍ન પ.પૂ. પંન્‍યાસપ્રવર શ્રી સત્‍વબોધી વિજયજી મ. સાહેબ ની પાવન નિશ્રામાં જિનાલય નું નિર્માણ થનાર છે.ᅠ ખાતમુર્હત રવિવાર તા. ૧ર સવારે ૬.૩૦ કલાકે યોજાશે.ᅠ

પરમપૂજય ગુરૂભગવંતોનું સામૈયું સાધુવાસવાણી રોડ નક્ષત્ર બિલ્‍ડીંગથી શરૂ થશે. શ્રી શીલા સ્‍થાપન ચઢાવા - ઉછામણી સવારે ૯ વાગ્‍યે રાખવામાં આવેલ છે. જેમા ઉછામણી બોલવામાં આવશે. આ પ્રસંગે સંગીતકાર અંકુરભાઈ શાહ પણ સુંદર સ્‍તવનો દ્વારા સોેને ભકિતરસમાં તરબોળ કરશે.ᅠ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે દિલીપભાઈ દેસાઈ (૭૯૯૦પ ૭૦૮૧૧) નાં માર્ગદર્શન હેઠળ વિરેન્‍દ્રભાઈ મહેતા, હિંમાશુભાઈ કોઠારી, જયેશભાઈ, નરેન્‍દ્રભાઈ, ગીરીશભાઈ શાહ, જનકભાઈ, જયેન્‍દ્રભાઈ,પ્રકાશભાઈ શાહ, પ્રકાશભાઈ કોઠારી લલિતભાઈ વોરા, સમીરભાઈ કાપડીયા, સમીરભાઈ શાહ, સ્‍નેહલભાઈ, યુવક મંડળના દરેક સભ્‍યો, મહીલા મંડળનાં દરેક સભ્‍યો અને સેવાભાવીઓ જહેમત ઉઠાવી રહયા છે

(3:13 pm IST)