Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

ઇન્ડિયા સાયકલ ફોર ચેલેન્જ

ઉદિત અગ્રવાલ સહિત મ્યુનિ. કર્મચારીઓ - અધિકારીઓ સાયકલ લઇ કચેરી આવ્યા

દર શુક્રવારે મ્યુ. કોર્પોરેશનમાં 'સાયકલ-ડે': સાયકલ નથી તેવા કર્મચારીઓ સીટી બસ અને ચાલીને કચેરીએ આવ્યાઃ મ્યુ. કમિશનરના અભિયાનને બહોળો પ્રતિસાદ

રાજકોટ તા. ૯ : રાજકોટ શહેરને સાયકલ ફ્રેન્ડલી બનાવવા અનેનાગરિકોને સાયકલનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદેશ્યથી સ્માર્ટ સીટીઝ મિશન દ્વારા 'ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જ' ચેલેન્જની શરૂઆત કરવામાં આવેલ છે. આ ચેલેન્જમાં રાજકોટ સહીત ૯૫ શહેરોએ ભાગ લીધેલ છે. શહેરમાં સાયકલિંગને પ્રોત્સાહન મળે, પ્રદુષણમાં ઘટાડો થાય તેમજ ટ્રાફિકની સમસ્યા હળવી બને તે માટે રાજકોટ મહાનગરપાલિકા વિવિધ પગલાઓ લઇ રહ્યું છે, જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ - કર્મચારીઓ હવેથી દર શુક્રવારે ઓફિસે આવવા-જવા માટે પોતાના ટુ વ્હીકલ કે ફોર વ્હીકલનો ઉપયોગ ન કરાતા સાયકલ, પૈદલ કે માસ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે તે અંગે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે અપીલ કરેલ હતી જેનો મનપાના અધિકારીઓ - કર્મચારીઓ દ્વારા બહોળો પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો, તેમજ કમિશનર બ્રાન્ચના એક કર્મચારી શ્રી ભાવેશભાઈ કારેલીયા પોતાના ઘરેથી ઓફીસ સુધીનું અંતર પાંચ કી.મી. ચાલીને આવતા મ્યુનિ. કમિશનરશ્રીએ તેમને બિરદાવ્યા હતા.

ઙ્ગઆજે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ સહીત નાયબ મ્યુનિ. કમિશનર બી. જી. પ્રજાપતિ, એ. આર. સિંઘ,  સી. કે. નંદાણી તેમજ ત્રણેય ઝોનના અધિકારીઓ અને કર્મચારીઓ સાયકલિંગ કરીને ઓફીસ આવ્યા હતા તેમજ ફિલ્ડમાં પણ સાયકલ લઈને કામગીરી કરી હતી.

મ્યુનિ. કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, સાયકલએ ટ્રાન્સપોર્ટેશન માટેના એક સારા વિકલ્પની ઉપલબ્ધિ છે, પર્યાવરણના સંરક્ષણ માટે તેમજ તંદુરસ્ત આરોગ્ય પ્રાપ્ત કરવામાં ઉપયોગી થાય છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીએ જોઈએ ટી શરીરને તંદુરસ્ત રાખવું ખુબ જરૂરી છે, શહેરના તમામ લોકો સાયકલનો વધુ પડતો ઉપયોગ કરે જેના માટે સરકારશ્રી દ્વારા સાયકલ ખરીદી પર સબસીડી પણ આપવામાં આવે છે. સાયકલિંગ કરવાથી જીવન રેખા બદલી શકાય છે. સિટીમાં સાયકલનો ઉપયોગ કરવાથી પ્રદુષણ થતું અટકાવી શકાય છે. ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે. પોતાનું સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રહે છે.ઙ્ગ

મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓને મ્યુનિ. કમિશનરશ્રીએ અપીલ કરી હતી કે, સપ્યાહમાં એક દિવસ શુક્રવારે ઘરેથી ઓફીસ આવવા – જવા માટે પોતાના વાહનોને બદલે સાયકલ અથવા પૈદલ કે સિટી બસનો ઉપયોગ કરીએ. કર્મચારીઓને અપીલ કરાતાની સાથે મ્યુનિ, કમિશનરશ્રી શરૂઆત પોતાનાથી જ કરેલ હતી. આજે સવારે ૧૦ૅં૩૦ વાગ્યે પોતાના નિવાસસ્થાનેથી સેન્ટ્રલ ઝોન ઓફીસ સુધી સાયકલિંગ કરીને આવ્યા બાદ પોતાની કામગીરીની શરૂઆત કરી હતી.

ઙ્ગમ્યુનિ. કમિશનરશ્રીની અપીલનો અધિકારીઓ - કર્મચારીઓમાં બહોળો પ્રતિસાદ મળ્યો હતી. સપ્તાહમાં એક દિવસ સાયકલ લઈને ઓફીસ આવવું, ફિલ્ડમાં કામગીરી કરવા જવું વિગેરે જેવી કામગીરી માટે પોતાના ટુ વ્હીકલનો ઉપયોગ ન કરાતા સાયકલનો ઉપયોગ કરીને કામગીરી કરી હતી.(તસ્વીર : અશોક બગથરીયા)

સાઇકલિંગથી મળશે અનેક ફાયદા

- ટ્રાન્સ્પોર્ટેશન માટેનો એક સારો વિકલ્પ

- પર્યાવરણના સંરક્ષણમાં ઉપયોગી થાય

- સાઇકલિંગ કરનારનું આરોગ્ય સારું રહે.

 

(3:15 pm IST)