Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

ભગવતીપરાના વલીભાઇનો આપઘાત

મ્યુ. કોર્પોરેશનમાં કોન્ટ્રાકટ બેઝથી ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતાં: બહારથી ઝેર પી ઘરે આવતાં હોસ્પિટલે ખસેડાયા ને દમ તોડ્યો

રાજકોટ તા. ૯: ભગવતીપરામાં નીચલાપરામાં રહેતાં વલીભાઇ હાજીભાઇ નારેજા (ઉ.વ.૪૫)એ ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

હાજીભાઇ સવારે ઘરેથી નીકળી બહાર ચા પીવા ગયા હતાં અને બાદમાં ઝેરી દવા પી ઘરે પહોંચતાં ઉલ્ટીઓ કરવા માંડતા સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરતાં હેડકોન્સ. હિતેષભાઇ જોગડા અને હિતેષભાઇ કોઠીવારે હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર વલીભાઇ બે ભાઇ અને એક બહેનમાંનાના હતાં અને મ્યુ. કોર્પોરેશનમાં કોન્ટ્રાકટ બેઝ પર ડ્રાઇવર તરીકે કામ કરતાં હતાં. મૃતકને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. બનાવનું કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.

(3:58 pm IST)