Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

પૂ. ધીરગુરુદેવના આજ્ઞાનુવર્તી પૂ. અમીતાજી મ.સ. કાળધર્મ પામ્યા:કાલે પાલખીયાત્રા

શ્રી પી. એમ. ટ્રસ્ટ નિર્મિત શ્રી ઈન્દ્રપ્રસ્થનગર સ્થા. જેન સંઘ – રાજકોટ સંચાલિત શ્રી નરભેરામ પાનાચંદ મહેતા - જેન ઉપાશ્રય ખાતે ગોંડલ સંપ્રદાયના પૂ. ગુરુદેવ શ્રી ધીરજમુનિ મ.સા. ના આજ્ઞાનુવર્તી પૂ. અનસૂયાબાઈ મ.સ. ના પરિવારના બા.બ્ર. શ્રી અમિતાજી મ.સ. ૬ ૮ વર્ષની વયે ૪૩ વર્ષના દીક્ષાપર્યાય સહિત આજે તા. ૯-૧૦-૨૦૨૦ ના સાંજે ૭:૦૫ કલાકે સમાધિ ભાવે કાળધર્મ પામ્યા છે.

ઉપલેટા નિવાસી લાભકુંવરબેન દલીચંદભાઈ કામદારના સુપુત્રી શ્રી અમિતાજી મ.સ. એ મોટાબેન શ્રી ચંદ્રિકાજી મ.સ. સાથે મહાસુદ - ૧૧, વિ.સં. ૨૦૩૩ તા. 30-૧-૧૯૭૭, રવિવાર ના બોટાદ સંપ્રદાયના આચાર્ય પૂ. નવીનચંદ્જી મ.સા. ના હસ્તે રાજકોટ મોટા સંઘના આંગણે જેન બોડીંગમાં દીક્ષા અંગીકાર કરેલ. છેલ્લા  પાંચેક વર્ષથી શારીરિક કારણે એડનવાલા આરાધના ભવન - ઇંદ્રપ્રસ્થનગરમાં બિરાજીત હતા. તા. ૧૦ ને શનિવારે સવારે 7:30 કલાકે ઇંદ્રપ્રસ્થનગરથી પાલખીયાત્રા સરકારના નિયમને આધીન નીકળશે. તેમ શ્રી રજનીભાઈ બાવીસી, ધીરૂભાઈ વોરા, જયશ્રીબેન શાહની યાદીમાં જણાવાયું છે.

(8:33 pm IST)