Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

રહેવર સંકુલમાં નિદાન કેમ્‍પ યોજાયો રાજકોટ

રહેવર શૈક્ષણીક સંકુલમાં નિઃશુલ્‍ક નિદાન કેમ્‍પનું આયોજન તથા રહેવર શૈક્ષણિક સંકુલ બી. જી. ગેરૈયા હોમિયોપથિક એન્‍ડ આયુર્વેદ મેડિકલ કોલેજના સંયુકત ઉપક્રમે કરવામાં આવેલ. રહેવર શાળા સંકુલના સંચાલકો રઘુવીરસિંહ રહેવર, જયરાજસિંહ રહેવર તેમજ બી. જી. ગેરૈયા મેડિકલ કોલેજના સંચાલક એભલભાઇ ગેરૈયા દ્વારા માર્ગદર્શન અને પ્રેરણા પુરી પાડવામાં આવેલ. પૂર્વ ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલ, જગતસિંહ જાડેજાના હસ્‍તે દીપ-પ્રાગટય કરવામાં આવેલ. ૧પ નિષ્‍ણાંત તબીબો સહાયકો દ્વારા દર્દીઓનું તબીબી નિદાન કરી દવાઓનું વિતરણ નિઃશુલ્‍ક કરવામાં આવેલું. રઘુવીરસિંહ રહેવર તથા જયરાજસિંહ રહેવરના હસ્‍તે સન્‍માન પત્રો સહયોગ  આપનાર વિગેરેને આપવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન વત્‍સલભાઇ કુસુમબેન, ભાગ્‍યશ્રીબેને કરેલું. સીઆરસી પિયુષભાઇ અતિથી તરીકે ઉપસ્‍થિત રહેલા તે પ્રસંગની તસ્‍વીરી ઝલક

 

(11:08 am IST)