Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

ડો. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા સૌરભ સોસાયટી અને રણછોડનગરમાં રકતદાન કેમ્પ

રાજકોટ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ રાજકોટ સંઘ પરિવારના સંયુકત ઉપક્રમે રાજકોટના સિવિલ હોસ્પિટલના દર્દી અને લેસેમિયા ગ્રસ્ત બાળકોના લાભાર્થે જુદા જુદા વિસ્તારોમાં રકતદાન કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. જે અંતર્ગત મારૂતીનગર વિસ્તારમાં સેોરભ સોસાયટી શેરી નં-ર સદગુરૂ તીર્થ વાળી શેરી રૈયા રોડ ખાતે તેમજ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ બેડીપરા ઝોન- ભૂષણ સ્કુલ-રણછોડ નગર સોસાયટી- કુવાડવા રોડ ખાતે યોજવામાં આવેલ રકતદાન કેમ્પમાં કુલ ૧૫૯ દર્દીઓએ રકતદાન કરેલ. આ રકતદાન કેમ્પમાં શાળા સંચાલકોના ડી. વી. મહેતા, અજયભાઈ પટેલ, ભરતભાઈ ગાજીપરા, જતીનભાઈ ભરાડ, ભાજપના મંત્રી કિશોરભાઈ રાઠોડ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંત સંઘચાલક મુકેશભાઈ મલકાણ, પ્રાંત કાર્યવાહ કિશોરભાઇ મુંગલપરા, સૌરાષ્ટ્ર પ્રાંત સહ વ્યવસ્થા પ્રમુખ નરેન્દ્રભાઈ દવે, પ્રાંત પ્રચારક મહેશભાઈ જીવાણી, પ્રચાર પ્રમુખ પંકજભાઈ રાવલ, રાજકોટ વિભાગ સંઘ ચાલક ડો.સંજીવભાઈ ઓઝા, મહાનગર સંઘચાલક ડો. જીતેન્દ્રભાઈ અમલાણી, સહમહાનગર કાર્યવાહ મુકેશભાઈ કામદાર, પ્રાંત અધિકારી દિનેશભાઈ પાઠક, મનીષભાઈ બેચરા, મહાનગર સેવા પ્રમુખ ભરતભાઇ કુંવરિયા, વિપુલભાઈ પટેલ, રણછોડ નગર વિસ્તારના વિરમભાઇ બારડ, ડો.પ્રદીપભાઈ ચૌહાણ, મનુભાઈ ઢોલરીયા, જયેશભાઈ રામાણી, હરદેવભાઇ મોલિયા, વિનોદભાઈ ચોટલીયા, જયેશભાઈ ઉમરેલીયા, હર્ષદભાઈ લુણાગરિયા, વિશાલભાઈ સોલંકી, મારુતિ વિસ્તારના હાર્દિકભાઈ નીમ્બાર્ક, જયેશભાઈ કાનાબાર, જયપ્રકાશભાઈ ફુલારા, તુલસીભાઈ સાપરિયા, રાજેશભાઈ ગોસ્વામી, મથુરભાઈ સંચાણીયા, મનુભાઈ લખતરિયા ઉપસ્થિત રહ્યા હતા. રકતદાન કેમ્પને સફળ બનાવવા પરિમલભાઈ પરડવા, મેહુલભાઈ પરડવા, જયદીપભાઇ જલુ, રામભાઈ ગૌરૈયા, નરેન્દ્રભાઈ ભાડલિયા, મનસુખભાઈ કાદોળ, સુરેશભાઈ વ્યાસ, દિપકભાઈ ચોવટીયા, મહેશભાઈ ડોળા, વિશાલભાઈ હિરાણી, અમૃતભાઇ માળી વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(4:15 pm IST)