Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

જિલ્લા ફેર બદલી પામેલ શિક્ષકોને છુટા કરવામાં કોની રાહ ? : લોક જાગૃતિ મંચ

રાજકોટ તા. ૧૦ : ગુજરાત માધ્‍યમિક બોર્ડ દ્વારા ૨૦૨૨ ના જિલ્લા ફેર બદલીના હુકમો કરાયા તેની ત્‍વરીત ધોરણે અમલવારી કરાવવા લોકજાગૃતિ મંચના પ્રદેશ અધ્‍યક્ષ વિજય કુંભરવાડીયાએ મુખ્‍યમંત્રીને પત્ર લખી રજુઆત કરી છે.

તેઓએ રજુઆતમાં જણાવ્‍યુ છે આ ઓર્ડરોમાં પોતાના જિલ્લાના શિક્ષકોને છુટા કરવા જણાવેલ. તેમજ ૫૦ ટકા સ્‍ટાફથી વધુ સ્‍ટાફ હોય તે જગ્‍યાએ બદલી કરવા. તેમજ જે જગ્‍યાએ ૫૦ ટકાથી ઓછી સંખ્‍યા હોય ત્‍યાં ભરતી માટે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વડી કચેરીને જાણ કરેલ. તેમજ કચ્‍છ જિલ્લામાં અંદાજે ૬૦ અન્‍ય જિલ્લા ૧૦ એમ લગભગ ૭૦ શિક્ષકની જિલ્લા ફેર બદલી કરેલ. જેમાં હજુ સુધી હુકમની અમલવારી કરી બદલીઓ કરાઇ નથી.

સર્વશિક્ષા અભિયાન શોભાના ગાંઠીયા સમાન બની રહ્યુ છે. ત્‍યારે બદલી પામેલ શિક્ષકોને છુટા કરી તેમના સ્‍થાને મુકવા લોક જાગૃતિ મંચના વિજયભાઇ કુંભરવાડીયા (મો.૯૯૧૩૩ ૭૭૭૦૫) એ પત્રના અંતમાં જણાવેલ છે.

 

(3:58 pm IST)