Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

પૂ. અમીતાજી મ.સ. પંચમહાભૂતમાં વિલીનઃ

પૂ. ધીર ગુરૂદેવના આજ્ઞાનુવર્તી ૪૩ વર્ષના દીક્ષા પર્યાયધારી

રાજકોટ : શ્રી પી. એમ. ટ્રસ્ટ નિર્મિત શ્રી ઇન્દ્રપ્રસ્થનગર સ્થા. જૈન સંઘ રાજકોટ સંચાલીત શ્રી નરભેરામ પાનાચંદ મહેતા, જૈન ઉપાશ્રય ખાતે ગોંડલ સંપ્રદાયના પૂ. ધીરજમુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી પૂ. અનસૂયાબાઇ મ.સ. પરિવારના પૂ. અમિતાજી મ.સ. ૬૮ વર્ષની વયે ૪૩ વર્ષના દીક્ષા પર્યાય સાથે ગઇકાલે તા. ૯ ના રોજ સમાધિ ભાવે કાળધર્મ પામેલ.

પૂ. શ્રીની પાલખી યાત્રા આજે સવારે ૭.૩૦ કલાકે ઇન્દ્રપ્રસ્થનગર ખાતેથી સરકારના નિયમોને આધીન જય જય નંદા, જય જય ભદ્રાના નાદ સાથે નિકળી હતી.

પૂ. અમિતાજી મ.સ. ઉપલેટા નિવાસી લાભકુંવરબેન દલીચંદભાઇ કામદારના સંસારી સુપુત્રી હતાં. મોટાબેન પૂ. શ્રી ચંદ્રીકાજી મ.સ. સાથે તા. ૩૦-૧-૧૯૭૭ ને રવિવારના રોજ બોટાદ સંપ્રદાયના આચાર્ય પૂ. નવીનચંદ્રજી મ.સા.ના શ્રીમુખેથી રાજકોટ મોટા સંઘના આંગણે જૈન બોર્ડીંગમાં દીક્ષા ગ્રહણ કરેલ. પૂ. શ્રી છેલ્લા પાંચેક વર્ષથી એડનવાલા, આરાધના ભવન ખાતે બિરાજીત હતાં. તેમ રજનીભાઇ બાવીશી, ધીરૂભાઇ વોરા, જયશ્રીબેન શાહની યાદીમાં જણાવાયું છે.

પાલખી યાત્રામાં ધીરૂભાઇ વોરા, નલીનભાઇ બાટવીયા, રાજુભાઇ બાટવીયા, ગૌરવભાઇ દોશી, સુશીલભાઇ ગોડા, સતીષભાઇ બાટવીયા, દીનેશભાઇ દોશી, નલીનભાઇ બાટવીયા, તારકભાઇ વોરા, કૌશીકભાઇ વિરાણી, વિજયભાઇ કોઠારી, યોગેશભાઇ શેઠ, કિશોરભાઇ સંઘાણી સહિતના જોડાયા હતાં.

(11:33 am IST)