Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

રસ્તા પ્રશ્ને તડાફડીના એંધાણ

૧૯મીએ મનપાની વર્તમાન ટર્મનું છેલ્લુ જનરલ બોર્ડ

ભાજપ કોંગ્રેસના ર૮ કોર્પોરેટરોએ ૩૯ પ્રશ્નો પુછયાઃ સૌ પ્રથમ પ્રશ્ન કોંગ્રેસનાં કોર્પોરેટર જાગૃતીબેન ડાંગરનોઃ જમીન, નામ કરણ સહીતની ત્રણ દરખાસ્તો

રાજકોટ, તા., ૧૦: ર૦૧પ થી ર૦ર૦ ની મ્યુ. કોર્પોરેશનની વર્તમાન ટર્મનું છેલ્લુ જનરલ બોર્ડ આગામી તા. ૧૯મીએ સવારે ૧૧ વાગ્યે પ્રમુખ સ્વામી ઓડોટોરીયમ ખાતે મળનાર છે. જેમાં ભાજપ-કોંગ્રેસનાં ર૮ કોર્પોરેટરોએ કુલ ૩૯ પ્રશ્નો પુછયા છે અને સૌ પ્રથમ પ્રશ્ન કોંગ્રેસના વોર્ડ નં. ૧૩નાં મહિલા કોર્પોરેટર જાગૃતીબેન ડાંગરે રસ્તા બાબતે પુછયો છે તેથી આ છેલ્લા જનરલ બોર્ડમાં રસ્તા પ્રશ્ને વિપક્ષ અને શાસકો વચ્ચે તડાફડી બોલવાના એંધાણ છે.

જનરલ બોર્ડમાં રસ્તાની ગેરેન્ટી-વિજીલન્સની તપાસ  જાગૃતીબેન ડાંગરનો, મનસુખભાઇ કાલરીયાનો, દલસુખભાઇ જાગાણીનો સ્માર્ટ સીટી, પાણી વિતરણ, આઇ.સી.ડી.એસ. વિભાગની યોજના અંગે  મનીષભાઇ રાદડીયા દ્વારા શહેરમાં ભેળવાયેલા નાનામૌવા, મુંજકા, માધાપર, ઘંટેશ્વર, મનહરપુરના વિકાસકામોનું આયોજન,, દેવરાજભાઇ મકવાણાનો માં અમૃતમ કાર્ડ તથા અતુલ રાજાણી દ્વારા રેલનગર, અંડરબ્રીજ વગેરે ઉપરાંત અંજનાબેન મોરજરીયા, અનીતાબેન ગોસ્વામી, પ્રીતીબેન પનારા, વશરામભાઇ સાગઠીયા, રૂપાબેન શીલુ, ડો.દર્શિતાબેન શાહ, દેવુબેન જાદવ, વર્ષાબેન રાણપરા, જયમીનભાઇ ઠાકર, અશ્વીનભાઇ ભોરણીયા, ઘનશ્યામસિંહ એ.જાડેજા, શિલ્પાબેન જાવીયા, જયોત્સનાબેન ટીલાળા, નીતીનભાઇ રામાણી, હીરલબેન મહેતા, જયાબેન ટાંક, આશીષભાઇ વાગદડીયા, વિજયાબેન વાછાણી, પરેશભાઇ પીપળીયા,

મુકેશભાઇ રાદડીયા, અજયભાઇ પરમાર, મીનાબેન પારેખ સહીત ભાજપના રર અને કોંગ્રેસના ૬ એમ કુલ ર૮ કોર્પોરેટરોએ કુલ ૬૯ પ્રશ્નો પુછયા છે.

એજન્ડામાં ૩ દરખાસ્તો

આ છેલ્લા જનરલ બોર્ડમાં ૩ દરખાસ્તોનો નિર્ણય લેવાશે. જેમાં રાજકોટ મહાનગર પાલીકાની સીનીયર કલાર્ક સંવર્ગની જગ્યામાં બઢતીની લાયકાતમાં સુધારો કરવા અંગે (ર) કેવડાવાડી મેઇન રોડ સ્થિત  મિલ્કત ધારક શ્રીમતી રમાગૌરી મનસુખભાઇ ટાંક વિગેરેને વૈકલ્પીક જમીન ફાળવવા અંગે (૩) નલ સે જલ યોજના અન્વયે ૦ાા (અડધો ઇંચ)ના રહેણાંક નળ કનેકશન રાજય સરકારશ્રીના ઠરાવ અન્વયે રેગ્યુલાઇઝરાઇઝ કરી આપવા અંગે આ ત્રણ દરખાસ્તો ઉપરાંત અરજન્ટ બિઝનેસથી જે દરખાસ્તો મુકાઇ તેનો નિર્ણય લેવાશે.

(3:18 pm IST)