Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

કાંતીભાઇને હૃદયાંજલી અર્પતા જાણીતા પત્રકાર ઉષાકાન્ત માંકડ

રાજકોટઃ સિધ્ધહસ્ત પત્રકાર અને એક  સમયગાળામાં પ્રતિસ્પર્ધી અખબારોમાં મારી સાથે પત્રકારિત્વ કરનાર મારા સન્મિત્ર ભાઈ કાન્તિભાઈ કતિરા  હવે નથી, એ જાણી આઘાત લાગ્યો.સ્વ.મુ. બાબુભાઈ શા્હ ( પૂ. બાપુજી ), શ્રી કિરીટભાઇ ગણાત્રા, શ્રી. અજીતભાઈ ગણાત્રા, વગેરે અખબાર માલીકો તથા અખબાર નવેશકો સાથેનો તેમનો ઘરોબો હંમેશા પારિવારિક રહ્યો હતો. અને એટલે જ તેઓ આ અખબારો સાથે જીવનભરનો નાતો જાળવી  શકયા. વ્યવસાયે તેઓ હોશિયાર તો હતા જ પણ નિસ્પ્રૃહી અને અપેક્ષારહિત હતા. આવા એક અર્ધી સદીના મારી સાથીને હું મારી હૃદયાજલિ અર્પું છું. તેમ સૌરાષ્ટ્રના વિતેલી પેઢીના ધરખમગજાના પત્રકાર, કટાર લેખક, સામાજીક અગ્રણી શ્રી ઉષાકાન્ત માંકડે જણાવ્યુ છે.

(2:41 pm IST)