Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

શરદપૂનમે ખીર સાથે ગ્રહણ કરવા શાસ્ત્રોકત ઔષધીઓનું શુકલ પરિવાર દ્વારા વિતરણ

રાજકોટ,તા. ૧૦: દંતવૈદ્ય લાભશંકરભાઇ શુકલ સ્મૃતિ વંદના અંતર્ગત આગામી શરદપૂનમના દિવસે દમ (અસ્થમા) શ્વાસ માટેની આયુર્વેદિક ઔષધીનું રાહતદરે વિતરણ કાર્ય શરૂ થઇ ગયેલ છે.શ્વાસ, દમ (અસ્થમા)એ ઘણો જૂનો રોગ છે. આયુર્વેદમાં પણ આર રોગનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે.

આ રોગને નાબુદ કરવાનું ઘણું જ મુશ્કેલ છે. ઋતુઓનો સંધીકાળ (બે ઋતુઓ વચ્ચેનો ગાળો) આહાર વિહારમાં પરિવર્તન, ફેરફાર -ધૂળ -ધુમાડો આ રોગને વધારવામાં કારણભૂત બને છે ચોકકસ નિદાન પરેજી અને યોગ્ય સારવારથી દર્દીને રાહત આપી શકાય છે. દરેક પ્રકારની ખૂબ જ કાળજી લેવાથી સંભવતઃ મટાડી શકાય છે.શરદપૂર્ણીમાના દિવસે રાત્રે ચંદ્ર કિરણોમાં મુકેલી ખીર અને ચોકકસ પ્રકારની શાસ્ત્રોક-ઔષધીઓનું મિશ્રણ કરેલી ઔષધી લેવાથી ઘણા દર્દીઓને ફાયદો થયો છે. રાહત મળી છે એવું તારણ થયેલ છે. જેથી બહોળી સંખ્યામાં દર વર્ષે દર્દી ભાઇ-બહેનો શરદપૂર્ણીમાનાં દિવસે ઉપરોકત ઔષધીના સેવનથી રોગપ્રતિકારક શકિત વધે છે. દરમિયાન શ્વાસની તકલીફ રહેતી નથી તેવુ દર્દીઓ દ્વારા અભિપ્રાય પ્રાપ્ત થયેલ છે. ઉપરોકત દમની ઔષધી રતનપર -'પુનીતધામ' ખાતે તેમજ પુજા સ્ટોર્સ, ખાદી ભવન, એ ડીવીઝન સામેથી શરદપૂર્ણીમાના દિવસ સુધી મળી શકશે. જેનો લાભ લેવા વિનંતી કરાઇ છે.દમયજ્ઞને સફળ બનાવવા વૈદ્યશ્રી જી.એમ.મજીઠિયા, શ્રી પ્રવિણભાઇ વસાણી દૈતવૈદ્ય પુનીત શુકલએ જહેમત ઉઠાવેલ છે.

(3:19 pm IST)