Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

જો મને સાંભળ્યા વગર કોઇ નિર્ણય કરશો તો હું તેને કાયદાકીય રીતે પડકારીશઃ હરીશભાઇ લાખાણી

લોહાણા મહાપરીષદના પ્રમુખપદ માટે દાવેદારી નોંધાવી

લોહાણા મહાપરીષદની મધ્યસ્થ સમીતીના સભ્ય અને રાજકોટ ખાતેની ડીએમએલ ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન હરીશભાઇ લાખાણીએ આજે સોશ્યલ મીડીયાના માધ્યમથી મહાપરીષદના પ્રમુખપદ માટે દાવેદારી નોંધાવી છે. તેઓએ મેસેજમાં જણાવ્યું છે કે લોહાણા મહાપરીષદના તમામ હોદેદારો તથા વરણી સમીતીના તમામ સભ્યો જો ઓનલાઇન ઝુમ મીટીંગમાં આજે પોતાને સાંભળશે નહીં અને મહાપરીષદના પ્રમુખપદ માટેનો એકતરફી નિર્ણય લેશે તો તે નિર્ણયને કાયદાકીય રીતે પડકારવામાં આવશે. જો તેઓને મહાપરીષદના પ્રમુખ બનાવવામાં આવશે તો ગ્રાઉન્ડ લેવલનું જ્ઞાતિ સેવાનું કામ કરીને બતાવશે કે જેને લોકો આવતા સો વર્ષો સુધી યાદ રાખશે તેવું હરીશભાઇ લાખાણીએ જણાવેલ છે.

(11:45 am IST)