Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

શું તમે આ જાણો છો ખરા ?

.   રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ આ ધૂન કોણે બનાવી હતી?

-   શ્રી ગુરૂ નાનજી

.   વાલ્મિકી ઋષિ કોના પુત્ર હતા?       

-   મુનિશ્રી પ્રચેતાના દસમા પુત્ર

.   શ્રી રામના બહેન અને બનેવીનું નામ જણાવો.

-   શાંતા - ઋષ્યશૃંગ

.   એવો કયો ગ્રંથ છે જેમાં રામ શબ્દ ૨૫૩૩ વાર આવે છે?      

-   આદિ ગ્રંથ

.   શ્રવણના માતાપિતાનું નામ શું હતું?  

-   સોમવતી - શાંતનુ

.   અનુષ્ઠાન એટલે શું? 

-   કોઈ પણ મંત્રના સવા લાખ જાપ

.   ભગવાન શ્રી રામના ઈષ્ટ દેવતા કોણ હતા?  

-   શિવ

.   કૈકયીએ કયા યુદ્ઘમાં દશરથ રાજાની ખૂબ મદદ કરી બે વરદાન મેળવ્યા હતા?

-   શંબરાસુર

.   શબરીનું સાચું નામ શું હતું?

-   શ્રમણા

.   રામાયણની પંચાયતમાં કોનો કોનો સમાવેશ થાય છે?

-   રામ, સીતા, ભરત, લક્ષમણ , હનુમાનજી

.   પંચવટીમાં કયા કયા વૃક્ષો મુખ્ય હતા?

-   વડ ,પીપળો ,આંબલી , બિલી ,અશોક

.   સુંદરકાંડમાં રામ, હનુમાન અને સુંદર શબ્દ કેટલી વખત આવે છે?

-   રામ-૫૧, હનુમાન-૨૧, સુંદર-૯

.   બનાવટી સોનાનુ મૃગ બનાવનાર મરિચના માતાપિતાનું નામ જણાવો?

-   તાટકા અને સુંદ

.   લંકા નગરીના અધિષ્ઠાત્રી દેવી કોણ હતા?

-   લંકિની

.   મંદોદરી કોની પુત્રી હતા?

-   માયાસુર

.   મૃતસંજીવની માટે હનુમાનજી કયો પર્વત ઊંચકી લાવ્યા હતા?

-   ઔષધિપ્રસ્થ

.   રામચરિત માનસની રચના તુલસીદાસજીએ કઈ ભાષામાં કરી છે?

-   અવધિ

.   સીતાજીનું પૂર્વ જન્મનું નામ જણાવો?

-   વેદવતી

.   રામચરિત માનસની સૌથી પ્રસિદ્ઘ ચોપાઈ કઈ?

-   રઘુકુલ રીત સદાચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય

.   ભરત અને શત્રુઘ્નની પત્નીના નામ જણાવો?

-   માંડવી અને શ્રુતકીર્તિ

.   વેદોમાં રામ અને સીતાનો અર્થ શું થાય?

-   વરસાદચાસ

.   સૌપ્રથમ રામાયણની કથા કોણે સાંભળી હતી?

-   લવકુશ

.   સુગ્રીવ અને વાલીના પિતાનું નામ જણાવો?

-   ઋક્ષરજસ

.   ગુફામાં વાલીનું કયા રાક્ષસ જોડે યુદ્ઘ થયું હતું?

-   દંદુભી

.   લંકા નગરી કયા પર્વત પર વસાવવામાં આવી હતી?

-   ત્રિકુટ

.   હનુમાનજીના પુત્રનું નામ જણાવો?

-   મકરધ્વજ

.   સંત તુલસીદાસ રચિત રામચરિત માનસની કુલ? ચોપાઈઓ કેટલી છે

-   ૯૨૨૮

.   રામાયણમાં ભગવાન શ્રી રામનું મૃત્યુ કઈ રીતે થાય છે?

-   સરયૂ નદીમાં જળસમાધિ

.   અશોક વાટિકામાં સીતાજીની દેખરેખ કઈ રાક્ષસી? કરતી હતી

-   ત્રીજટા

.   રાવણના માતાપિતા કોણ હતા?

-   કૈકસી - વિશ્રા

.   ભરત અને શત્રુઘ્ન મોસાળ ગયા હતા એ મામાનું નામ જણાવો?

-   યુધાજીત

.   વાલ્મિકી રામાયણમાં શ્લોકોની સંખ્યા કેટલી છે?

-   ૨૪૦૦૦

.   સીતાજીના માતાજીનું નામ જણાવો?

-   સુનયના

.   સ્વંયવરમાં જે ધનુષભંગ થયો તે ધનુષનું નામ જણાવો?

-   પીનાકપાણી

.   વાલ્મિકી રામાયણમાં સૌ પ્રથમ શ્લોકનો પ્રથમ શબ્દ કયો છે?

-   તપ        

(અકિલાના શ્રોતા અલ્કાબેન દલાલ દ્વારા સોશ્યલ

મિડીયા ઉપર વાયરલ થયેલ મેસેજ)

(12:36 pm IST)